________________
28
અનેક પ્રકારના વિચારો કરીને અંતે થાકી ગયેલો,અને તેથી જ શાંત થયેલો, ધીર(જ્ઞાની પુરુષ, --નથી કલ્પનાઓ કરતો,નથી જાણતો,નથી સાંભળતો કે નથી જોતો. (૨૭).
આવો જ્ઞાની પુરુષ સમાધિના પણ અભાવ ને લીધે મુમુક્ષ (મોક્ષની ઈચ્છા રાખનાર) નથી, --(તેનાથી વિરુદ્ધ) કોઈ પણ વિક્ષેપ ના અભાવ થી બદ્ધ (બંધન વાળો) પણ નથી, --પરંતુ નિશ્ચય કરી ને આ બધાને કલ્પનામય જોતો,તે "બ્રહ્મ”-રૂપે જ રહે છે. (૨૮)
જેનામાં અહંકાર છે તે કાંઇ ના કરે તો પણ કર્મ કરે જ છે, --જયારે અહંકાર વગરના ધીર પુરુષને માટે તો “કાંઇ ના કરેલું કે કરેલું “(કર્મ) છે જ નહિ. (૨૯) એવા જીવન્મુક્ત નું ચિત્ત (પ્રભુમય-મન) કે જે પ્રકાશમય છે, તેમાં સ્વૈત નથી તેથી ઉદ્વેગ નથી, --નથી કોઈ સંકલ્પ-વિકલ્પ તેથી દુનિયા તરફ નિરાશ દૃષ્ટિ છે. --નથી કોઈ અજ્ઞાન કે જેથી નથી કોઈ સંદેહ. (૩૦)
ધીર પુરુષનું ચિત્ત (ઈશ્વરમાં તન્મય-મન) ધ્યાન કરવાને કે કોઈ ક્રિયા કરવા પ્રવૃત્ત થતું નથી, --પરંતુ કાંઇ પણ નિમિત્ત ના હોવા છતાં યથાપ્રાપ્ત ધ્યાન અને ક્રિયા કરે પણ છે. (૩૧).
“સત્ય-તત્વ” ને સાંભળીને જડ મનુષ્ય મૂઢ (અજ્ઞાની) બને છે અને સંકોચ (ગભરાટ) પ્રાપ્ત કરે છે, --તેવી જ રીતે કોઈ જ્ઞાની ની દશા એ અજ્ઞાની ની જેમ જ --બાહ્યદૃષ્ટિ થી મૂઢતા જેવી જ દેખાય છે.(બાહ્યદૃષ્ટિ થી જ્ઞાની નું મૂઢના જેવું વર્તન લાગે છે.) (૩૨)
મૂઢ (અજ્ઞાની) મનુષ્યો એકાગ્રતા અથવા ચિત્ત-નિરોધ નો વારંવાર અભ્યાસ કરે છે, પરંતુ, --જ્ઞાનીઓ તો આત્મપદ માં “સૂતેલા ની જેમ” સ્થિર બનેલા હોઈ ને, --કશું પણ (એકાગ્રતા-કે ચિત્તનિરોધ- વગેરે) કરવાપણું જોતા જ નથી. (૩૩)
પ્રયત્ન ના કરવાથી અથવા પ્રયત્ન વડે,પણ મૂઢ (અજ્ઞાની) મનુષ્ય સુખ પામતો નથી,ત્યારે, --માત્ર તત્વ નો નિશ્ચય થતાં જ ધીર (જ્ઞાની) મનુષ્ય સુખી બને છે. (૩૪)
તે શુદ્ધ, પ્રિય, પૂર્ણ, પ્રપંચરહિત, દુ:ખ રહિત, ચૈતન્ય આત્મા પુરુષ ને , --સંસાર માં રહેલા અભ્યાસી (મૂઢ-અજ્ઞાની) લોકો પણ જાણતા નથી (જાણી શકતા નથી) (૩૫)
મૂઢ (અજ્ઞાની) પુરુષ અભ્યાસ-રૂપ કર્મ (યોગ-વગેરે) વડે મોક્ષ ને પ્રાપ્ત કરી શકતો નથી,જયારે, --ધીર (જ્ઞાની) પુરુષ વિજ્ઞાન (જ્ઞાન) માત્ર થી જ મુક્ત અને નિર્વિકાર બને છે. (૩૬).
મૂઢ (અજ્ઞાની) પુરુષ “બ્રહ્મ” ને મેળવવાની ને “બ્રહ્મ-રૂપ” થવાની ઈચ્છા રાખે છે, તેથી જ, --તે તે “બ્રહ્મ" ને મેળવી શકતો નથી કે બ્રહ્મ-રૂપ થઇ શકતો નથી, જયારે --ધીર (જ્ઞાની) ઇચ્છતો ના હોવા છતાં પણ “બ્રહ્મ-રૂપ” જ છે. (૩૭)
કોઈ આધાર વગરના અને દુરાગ્રહી મૂઢો (અજ્ઞાનીઓ) જ સંસાર-રૂપી મૂળ નું પોષણ કરવાવાળા છે, --જયારે તે અનર્થ ના મૂળ-રૂપ સંસાર ના મૂળ નો જ્ઞાનીઓએ ઉચ્છેદ (નાશ) કર્યો છે. (૩૮)
મૂઢ (અજ્ઞાની) મનુષ્ય શાંત બનવા ઈચ્છે છે, તેથી જ તે શાંતિ પામતો નથી, --ધીર (જ્ઞાની) પુરુષ “તત્વ” નો નિશ્ચય કરી,સર્વદા શાંત ચિત્તવાળો જ હોય છે. (૩૯)