________________
૩૩
વ્રતવિચાર વર્ગ
ઉપવાસ, ઉણોદરી, સુધાથી અલ્પ ખાવું, વૃત્તિસંક્ષેપ (પોતાની જરૂરિયાતો ઘટાડવી), રસપરિત્યાગ, કાયકલેશાદિ આસનો અને એકાંતવૃત્તિનું સેવન એમ છ પ્રકારનું બાહ્ય તપ હોય છે.
ઉ. ૩૦ : ૮ एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पण्डिओ ॥१९॥ આંતરિક તથા બાહ્ય આચરે તપ જે મુનિ; વિવેકી શીધ્ર તે સાધુ કર્મથી મુક્ત થાય છે. ૧૯
એ પ્રમાણે બે પ્રકારનાં તપ પૈકી જે મુનિ યથાર્થ સમજીને તેને વિવેકપૂર્વક આચરે છે તે પંડિત સાધક કર્મબંધનથી જલદી છૂટી શકે છે.
ઉ. ૩૦ : ૩૭ तवनारायजुत्तेण, भित्तुण कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चइ ॥२०॥ તપના બાણથી વીંધે જે સાધુ કર્મકંચુકી; તે સાધુ બંધનો કાપી સર્વથા મુક્ત થાય છે. ૨૦
તપશ્ચર્યારૂપ બાણોથી યુક્ત તેવો જ મુનિ કર્મરૂપ બન્નરને ભેદી વિસંગ્રામમાં વિજય પામે છે અને સંસારરૂપ બંધનથી પણ શીધ્ર તે સર્વથા મુક્ત થાય છે.
ઉ. ૯ : ૨૨