________________
૨ ૮
સાધક સહચરી
જો મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ જીવો હણાઈ જતા હોય તો તે વસ્તુ મારે માટે કે પરને માટે, આ લોક કે પરલોકમાં લેશમાત્ર કલ્યાણકારી નથી એમ સાધક ચિંતવે.
ઉ. ૨૨ : ૧૯ तथिमं पढमं ठाणं, महावीरेण देसि । अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमो ॥४॥ વ્રતોમાં સર્વથી શ્રેષ્ઠ અહિંસા વીર વર્ણવે; સર્વ જીવ દયા પાળો દયાનું મૂળ સંયમ. ૪
સંયમપૂર્વક વર્તવું તે જ ઉત્તમ પ્રકારની અહિંસા છે અને ભગવાન મહાવીરે તેને જ મહાવ્રતોમાં પ્રથમ સ્થાને દર્શાવેલી છે. તેવી શુદ્ધ અને વાસ્તવિક અહિંસાનું મૂળ સંયમ છે.
દશ. ૬ : ૯ सव्वे जीवा वि इच्छंति, जीविडं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥५॥ જીવવા ઇચ્છતાં પ્રાણી ન ઇચ્છે કોઈ મૃત્યુને; તેથી પ્રાણી તણી હિંસા ત્યજે નિગ્રંથ સાધકો. ૫
જગતના નાના કે મોટા સર્વ જીવો જીવનને ઇચ્છે છે. કોઈ પણ પ્રાણી મૃત્યુને ઇચ્છતું નથી. માટે જ એ ભયંકર પાપરૂપ) હિંસાને નિગ્રંથ સાધકો સર્વથા ત્યાગી દે. દશ. ૬ : ૨૧
जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे णो विधायए ॥६॥ લોકમાં જેટલાં પ્રાણી સ્થાવર અથવા ત્રસ; જાણીને કે ન જાણીને હણાવે કે હણે નહિ. ૬