________________
૨૪
સાધક સહચરી
સ્વ જેવા સર્વ જીવોને દેખે સમાન દૃષ્ટિથી; પાપ પ્રવાહ રોકીને દાન્ત પાપ ન બાંધશે. ૧૧
સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન જાણીને વર્તનાર તથા પ્રાણી માત્ર પર સમદષ્ટિથી જોનાર અને તેવા પાપના આસ્ત્રવો (આગમનો)ને રોકનાર તથા દમિતેન્દ્રિય તે સંયમીને પાપકર્મનો બંધ થતો નથી.
દશ. ૪ : ૯ जयं चरे जयं चिढ़े, जयमासे जयं सए । जयं भुंजन्तो भासन्तो, पावकम्मं न बंधइ ॥१२॥ ચાલતાં, બોલતાં, ખાતાં, સૂતાં કે બેસતાં વળી; જાગૃતિ વર્તતી જેની તેને પાપ ન પીડશે. ૧૨
ઉપયોગપૂર્વક ચાલવું, ઉપયોગપૂર્વક ઊભા રહેવું, ઉપયોગપૂર્વક બેસવું, ઉપયોગપૂર્વક સૂવું, ઉપયોગપૂર્વક ભોજન કરવું અને ઉપયોગપૂર્વક બોલવું. આવી રીતે જે વર્તે છે તેને પાપો બંધન કરતાં નથી.*
દશ. ૪ : ૮
* ઉપયોગ એટલે સાવધાની - જાગૃતિ કે વિવેક.