________________
૧૪
સાધક સહચરી
જેમ સડેલી કૂતરી સર્વસ્થળેથી અપમાન પામે છે. એમ શત્રુ જેવો વાચાળ અને દુરાચારી (સ્વછંદી) સર્વ સ્થળેથી તિરસ્કાર પામે છે.
ઉ. ૧ : ૪ दवग्गिणां जहा रण्णे, डज्झमाणेसु जन्तुसु। अन्ने सत्ता पमोयन्ति, रागदोसवसं गया ॥ ३८ ॥ દવાગ્નિથી બળે જ્યારે વનમાં અન્ય જંતુઓ; મોજ માણે બીજાં પ્રાણી વશ્ય જે રાગદ્વેષને. ૩૮ एवमेव वयं मूढा कामभोगेसु मुच्छिया । डज्झमाणं न बुज्झामो, रागदोसग्गिणा जगं ॥ ३९ ॥ કામ ને ભોગમાં રક્ત મૂઢ તેવા જ માનવો; બળતું આ નથી જોતા રાગદ્વેષાગ્નિથી જગત. ૩૯
જેમ જંગલમાં દાવાગ્નિથી પશુઓ બળતાં હોય ત્યારે દાવાનળથી દૂર રહેલાં બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈને આનંદ પામતાં હોય છે. પરંતુ પાછળથી તેઓની પણ તે જ ગતિ થાય છે.
એ જ પ્રમાણે કામભોગોમાં લુબ્ધ થયેલા મૂઢ મનુષ્યો રાગ અને દ્વેષ રૂપ અગ્નિથી બળી રહેલા વિશ્વના આ સ્વરૂપને જાણી શકતા નથી.
ઉ. ૧૪ : ૪૨, ૪૩ जे अ चंडे मिए थद्धे, दुव्वाई नियडी सढे । वुज्झइ से अविणीअप्पा, कटुं सोअगयं जहा ॥ ४० ॥ ગુમાની બાળ માયાવી દુર્વાદી ક્રોધી ને શઠ; ભવાબ્ધિમાં વહે તે તો કાષ્ઠ જેમ પ્રવાહમાં. ૪૦