________________
સાધક સહચરી अह पन्नरसहिं ठाणेहिं, सुविणीए त्ति वुच्चई । नीयावत्ती अचवले, अमाई अकु ऊहले ॥ १४ ॥ કોઈને જે ન ધિક્કારે ન કરે ક્લેશની કથા; મિત્રતા સર્વથી રાખે જ્ઞાનનો મદ ના કરે.* ૧૪
*આ મળી નીચેના ચારે શ્લોકોનો સમસ્ત ભાવ મેળવી ગુજરાતી બ્લોકો રચ્યા છે.
अप्पं च अहिक्खिवइ, पबन्धं च न कुव्वइ । मेत्तिञ्जमाणो भयइ, सुयं लघ्युं न मज्जइ ॥ १५ ॥ અચપલ અને નમ્ર નિમથી અકુતૂહલી; છુપાવી પાપ ના રાખે ન કોપે મિત્ર સૌ ગણી. ૧૫ न य पावपरिक्खेवी, न य मित्तेसु कुप्पइ । अप्पियस्सावि मित्तस्स, रहे कल्लाण भासइ ॥ १६ ॥ અપ્રિય મિત્રાનું શ્રેય ગુપ્ત રીતે સમાચરે; ક્રિીડા ને ક્લેશનો ત્યાગી બુદ્ધિમાન કુલીન તે. ૧૬ कलहडमरवज्जिए, बुद्धे अभिजाइए । हिरिमं पडिसंलीणे, सुविणीए त्ति वुच्चइ ॥ १७ ॥ લજ્જાયુક્ત તથા શ્રેષ્ઠ જિતેન્દ્રિય સદા રહે;
પંદર લક્ષણોથી જે યુકત તે સુવિનીત છે. ૧૭. નીચેનાં પંદર સ્થાનો વડે સુવિનીત કહેવાય છે : (૧) નમ્ર, (૨) અચપલ, (૩) અમાયી (સરળ), (૪) અકુતૂહલી (હાસ્ય ક્રીડાથી દૂર રહેનાર), વળી જે (૫) પોતાની નાની ભૂલને પણ દૂર કરે છે, (૬) ક્રોધની વૃદ્ધિ કરે તેવી કલેશકારી