________________
પ૪
સાધક સહચરી મોહ એમ પરસ્પર જન્યજનકભાવ મહાપુરુષોએ કહ્યો છે.
ઉ. ૩ર : ૬ कोहं माणं च मायं च, लोभं च पाववड्डणं । वमे चत्तारि दोसे उ, इच्छंतो हिअमप्पणो ॥ ४ ॥ ક્રોધ, માન તથા માયા લોભ તે પાપવર્ધક; વમે તે ચાર દોષોને આત્મકલ્યાણ ઇચ્છુક. ૪
આત્મહિતનો ઇચ્છુક સાધક; પાપની વૃદ્ધિ કરનારાં ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારના દોષોને શીધ્ર વકી
દશ. ૮ : ૩૭ कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ॥५॥ હેત પ્રીત હણે ક્રોધ માન વિનયને હણે; મિત્રતાને હણે માયા લોભ તો સર્વને હણે. ૫
કારણ કે ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, મારા મિત્રતાનો નાશ કરે છે અને લોભ તો સર્વ ગુણોનો નાશક છે.
દશ. ૮ : ૩૭ कसाया अग्गिणो वुत्ता, सुयसीलतवो जलं । सुयधाराभिहया सन्ता, भिन्ना हु न डहन्ति मे ॥६॥ શ્રત શીલ તપશ્ચર્યા રૂપી પાણીની ધારથી; અગ્નિ તુલ્ય કષાયો જે ઠરીને ન દઝાડતા. ૬
તેવા કપાયો એ જ અગ્નિ છે કે જે શરીર, મન અને આત્માને સતત બાળી રહ્યા છે પણ તે પર જો જ્ઞાન, આચાર