________________
પરિશિષ્ટ
પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકઠું ન કરો. પણ આકાશ સારુ દ્રવ્ય એકઠું કરો. (મતલબ કે પરમાર્થ કરો સ્વાર્થ નહિ.) (મા. ૬ : ૧૯-૨૦)
(વ્યભિચાર કરવાની મનાઈ) જૂના કરારમાં હતી પણ હું કહું છું:) મનથી પણ વ્યભિચાર કરે તે ગુનેગાર છે. ખોટી નજર કરનારે આંખ ફેંકી દેવી કે જેથી એક અંગનો જ નાશ થાય આત્મા -નો નહિ ! (મા. ૫-૨૭-૨૯ થી)
અમે શું ખાઈએ ? અથવા શું પીઈએ અથવા શું પહેરીએ એ ચિંતા ન કરો (મા. ૬-૩૧) પણ તમે પ્રભુના ન્યાયીપણાની ચિંતા કરો તો બધાં વાનાં તમને મળશે. (મા. ૬-૩૩)
ઓ ઢોંગી ! તું પોતાની આંખમાં ભારોટિયો છે, તેને કાઢ પછી બીજાની આંખનું તણખલું કાઢવા જજે (મતલબ કે, પહેલાં તું સુધર).(માત્થી ૭-૫)
તમે હૃદયપૂર્વક પ્રભુને પ્રાર્થના કરો કે, અમારી રોટલી રોજ રોજ અમને આપો (સંગ્રહ ન કરો) અને અમારાં પાપ માફ કરો અમે પણ બીજાને માફી આપીશું. (લુક૦ ૧૧: ૨-૪ થી)
શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી શકતા નથી, તેઓથી ન બ્લીઓ પણ આત્મા અને શરીર બન્નેનો નાશ કરનારાથી વ્હીઓ. (મા. ૧૦-૨૮)
૯૫
લોક સંગ્રહાર્થની દષ્ટ રાખી કર્તવ્યકર્મ બજાવવું યોગ્ય છે. (૩-૨૦)
પોતાના અપાર લોભ ખાતર પ્રવૃત્તિ ક૨ના૨ા રજોગુણીઓ સંસારમાં ભમે છે. (૧૪-૧૨ ને ૧૫)
અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ સારુ વિરાગી પુરુષો બ્રહ્મચર્યને માર્ગે જાય છે. (૮-૧૧)
જેઓ સતત નિરંતર મારું ચિંતન ભજન કરે છે તેમનો યોગ ક્ષેમ હું નિર્વહું છું. (૯-૨૨)
જે દંભી ક્રિયા કરે છે, તે આસુરી નિશ્ચયવાળા આત્મા અને શરીર બન્નેનો વિનાશ કરે છે. (૧૭-૬) તેઓ પોતે જ નરકમાં પડે છે. (૧૬-૧૬)
(ત્યાં બીજાને કેમ ઉગારી શકે ? સતત જે ખરા હૃદયે જ્ઞાનીની પ્રાર્થના કરે છે, તે પાપી પણ તરી જાય છે. (૪-૩૪)
જ્ઞાન અને વિજ્ઞાનના નાશક પાપી એવા કામ રૂપ શત્રુને મા૨, એ જ ખરો શત્રુ છે. (૩ : ૪૧-૪૩)