________________
ઉપસંહાર
પ્રકૃતિના ગુણોમાં સાધારણ શરીરી કેમ આસકત થાય છે ? અને શુદ્ધ આત્મયોગી કેમ આસકત થતો નથી તે સવાલ થાય છે એના જવાબમાં ગુણત્રય વિભાગ’ નામનો ચૌદમો અઘ્યાય શરૂ થાય છે.
ગુણત્રય વિભાગયોગ (૧૪)
૬૮૧
સિદ્ધિ દેનાર ઉત્તમ જ્ઞાન આ છે :
"આત્મા ભળે છે ત્યારે આસકિત ગાઢ નથી હોતી, પણ ભળ્યા પછી પોતાનું ભાન એ ૨મતમાં ભૂલે છે. એટલે ગાઢ આસિત થતી જાય છે. એથી સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ દેહીને દેહમાં બાંધે છે, પણ હું રૂપ અંતરાત્મા એ બધું જાણતો હોઈને બંધાતો નથી. બંધાય છે તેનું નામ બહિરાત્મા અથવા ગુણસંગી આત્મા.” (૧ થી ૫) ત્રણે ગુણોનું સ્વરૂપ (૬ થી ૮). યારે કયા ગુણ જિતે, ને કેવી રીતે જિતે ? તે વર્ણન (૯-૧૦), ત્રણમાંથી કયો કય રે વઘ્યો ? તેની ખાતરી તથા ઓળખાણનાં ચિહ્ન, તથા તેવી સ્થિતિમાં મરેલાંની ગતિ શી શી ? (૧૧ થી ૧૫). સાત્ત્વિક, રાજસ અને તામસનું ફળ અને દેહી ૫૨ એની અસર; તથા તે પૈકી ઊંચો કોણ ? એ વર્ણન (૧૬ થી ૧૮).
સત્ત્વગુણ ઊંચો છે, છતાં ગુણોથી પર રહેલા આત્માને પેખનાર જ ત્રિગુણાતીતી થઈ શકે છે અને તે જ અમત ભોગવે છે. મોક્ષ પામે છે. (૧૯-૨૦).
ત્યારે ગુણાતીત કેમ ઓળખાય ? એવો અર્જુનનો સવાલ (૨૧). ગુણાતીતનાં લક્ષણોમાં ભકત અને જ્ઞાની કરતાં એટલી જ વિશેષતા કે તે ગુણોની આસપાસ રહેલો સ્થૂળદષ્ટિએ દેખાય. છતાં પણ અંતર નિર્લેપ હોય તેથી કયાંય ફસાઈ ન જાય. એટલે આત્મા લક્ષ્યરૂપ ભકિત તો જેમ સ્થિતપ્રજ્ઞ કે જ્ઞાનીને હોય તેમ ગુણાતીતને પણ હોય (૨૨ થી ૨૬). છેવટે તો બ્રહ્મની, અવ્યય અમૃતની શાશ્વત ધર્મની એકાંતિકની પરાકાષ્ઠા હું (અંતરાત્મા) જ છું. (૨૭).
'
ત્યારે હવે અર્જુનને એ સવાલ થાય છે કે પરમાત્મા અને આત્મા વચ્ચે ખાસ ફેર શો ? એથી 'પુરુષોત્તમયોગ' નામનો પંદરમો અધ્યાય શરૂ થાય છે, વળી ચૌદમા અઘ્યાયમાં "ા ં ધોગપ્રવ: પિતા" (૧૪-૪). કહ્યું હતું એટલે હવે મહદ્ બ્રહ્મરૂપ યોનિમાં બીજ મૂકવાથી એ નાના બીજમાંથી કેટલું વિશાળ સંસાર વૃક્ષ થાય છે, તે પણ પંદરમામાં સમજાવવામાં આવશે.