SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર ૭૩ ત્યારે પૂર્ણ પ્રસન્ન થયેલા ગુરુદેવ પોતાના વરદ હસ્તે અર્જુનના શિર પર મૂકી બોલ્યા: જો આ રીતે અભિમાનને ગાળીને મારે શરણે આવ્યો છો તો અહં ત્યાં સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિમાગુચ” પ્રિય શિષ્ય ! આપણો આજે જે આ જ્ઞાનસંવાદ થયો, તે સાંભળીને ઘણા તરી જશે. ભલે તેઓ શાસ્ત્રજ્ઞાનમાં ઊંડા ન ઊતર્યા હોય ! માત્ર તેનામાં શ્રદ્ધા, ગુણદષ્ટિ, ભકિતભાવના અને તપ હોવાં જોઈએ; અરે છેવટે શ્રદ્ધા અને ગુણદષ્ટિ બે હોય તોય બસ છે. પણ જે આત્મા કે પ્રભુમાં માનતો જ ન હોય, જેને લોક પરલોકનો ડર જ ન હોય, કર્મનું સફળપણું છે એ ન જાણતો હોય, ઈર્ષ્યાળુ સ્વભાવનો હોય, જેનો આત્મા સંશયવાળો હોય, જે સ્વચ્છંદી હોય તેવાને માટે તો ગીતાજ્ઞાન કદાચ અનર્થકારી નીવડે ! કારણ કે તેવો નાસ્તિક મનુષ્ય; આસ્તિકતાને નામે સ્વેચ્છાચાર અને અર્જુનના યુદ્ધયોગનું ઓઠું લઈ પોતાના હિંસાના સિદ્ધાંતનો પ્રચાર કરવાનો. વળી એ પણ કહ્યું કે સદાચારનો પાયો ન હોય, તેને પણ ગીતાનું તત્ત્વજ્ઞાન નિરુપયોગી જ છે. માથું નમાવીને અર્જુને રજા લીધી અને પોતાના કર્તવ્યમાં લાગી ગયો. “અહો રાજાજી ! આ વાસુદેવકૃષ્ણનો અને અર્જુનનો સંવાદ સાંભળી મને રોમેરોમે આનંદ વ્યાપી રહ્યો છે. એમનું "વાયુવેવમયે સર્વ સમીત્મા સુહુર્તમ !' એ વેણ તો મારી હાડોહાડની મજાએ રંગાઈ ગયું છે. અને વિભૂતિઓની અલૌકિર્તાનું વર્ણન તો મારા કાનમાં જ ગુંજે છે. જગતની દરેક સારી વસ્તુમાં પ્રભુત્વનો અંશ જ છે. વિભૂતિવંતું શ્રીવંત, ને ભવ્ય સત્ત્વ જે કંઈ; તે સર્વ તું થયું જાણ, મારા જ તેજ અંશયી. (૧૦.૪૧) મને દિવ્ય, રુદ્રરૂપો જોઈને વિસ્મયતાનો પાર રહ્યો નથી પરંતુ સૌમ્ય રૂપ જોઈને જેમ અર્જુન છેવટે સચેત થયો તેમ હું પણ તે જ સદ્ગુરુ સ્વરૂપથી તૃપ્ત થઉ છું. ધન્યભાગ્ય ! વ્યાસ ગુરુદેવની દયા થઈ અને આ બધું મેં નજરે નિહાળ્યું.” 'મહારાજ ! આ બધું સાંભળ્યા પછી મને તો ખાત્રી થઈ ચૂકી છે કે, "કૃષ્ણ યોગેશ્વર જ્યાં છે, ને જ્યાં પાર્થ ધનુર્ધર; ત્યાં શ્રી, વિજયને ભૂતિ, ને ધ્રુવનીતિ માનું છું. (૧૮.૭૮) આ પરથી આપ પૂરેપૂરો મારા કથનનો આદિ, મધ્ય અને અંત્ય સાર સમજી ગયાને? એમ કહી જરા મુખડું મરકાવી સંજયે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું.... સર્વત્ર શાતિ વિસ્તારો.
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy