________________
૭૨
ગીતા દર્શન
છોડી જે સર્વકામોને, ચાલે પુરુષ નિઃસ્પૃહી; અહંતા મમતાવો'ણો, તે નર શાંતિ મેળવે. (૨.૭૧). પાર્થ ! આજ સ્થિતિ બ્રાહ્મી, એ પામ્ય મોહ ના થતો, ને મળે બ્રહ્મનિર્વાણ, એમાં અંત લગી રહી. (૨.૭૨)
અરુચિ જનસંસર્ગ, એકાંત સ્થળ સેવન.
અધ્યાત્મ જ્ઞાનની નિષ્ઠા, તત્ત્વ જ્ઞાનદર્શન. એ જ્ઞાની એકાંતસેવી છતાં લોકહિતમાં રાચેલ હોય છે. એટલે કે એની નિવૃત્તિ, પ્રવૃત્તિલક્ષી હોય છે અને ગુણાતીતની પ્રવૃત્તિ, નિવૃત્તિલક્ષી હોય છે. - ભકિત, તો આ બન્નેનું મધ્યબિંદુ છે; પરંતુ જેઓ આત્માને જ ગુરુ માનીને ભકિત કરે છે, તે મહાતપસ્વીને નામે ઓળખાય છે. અને જેઓ કોઈ સત્ પુરુષને ગુરુ માનીને ભકિત કરે છે તે ભકત કહેવાય છે. એટલે મૂળે તો ભકતની ભૂમિકા આ વર્ગમાં જ સમાઈ જાય છે. છતાં સમર્પણા એ ભકિતની વિશેષતા છે. ભકતનાં લક્ષણોમાં આટલાં તારે ધ્યાનમાં રાખવાં.
અષી સર્વભૂતોનો, ભેરુ ને કરુણાબુ જે; મમઅહંત્વથી છેટો, ક્ષમી દુઃખે સુખે સમો; (૧૨.૧૩) સતતયોગી સંતોષી, સંયમી દઢનિશ્ચયી;
અખ મન મતિ જેણે, મને તે ભકત છે પ્રિય.(૧૨-૧૪) બસ; હવે તારા પ્રશ્નોનો ઉત્તર અપાઈ ગયો. હવે તને જેમ સુખ પડે તેમ કર. આ સાંભળીને અર્જુનનો આત્મા ભિંજાઈ જ ગયો અને તે બોલી ઊઠયો :
હું બીજું કશું જ ન જાણું. હું મારાં ચિત્ત, મન, બુદ્ધિ, કર્મ બધું આપમાં જ પરોવી દઉં છું, આપને જ નમું છું, આપનું જ કીર્તન કરું છું, આપનું જ ધ્યાન ધરું છું, મારો અભ્યાસ પણ આ૫, યોગ પણ આપ, જ્ઞાન પણ આપ અને ધ્યાન પણ આપ અને મારે મન તો ગુરુ પણ આપ. ચરાચર લોકના પિતા પણ આય. ક્ષેત્ર પણ આપ તથા અક્ષર પણ આપ; અને અક્ષરથી પર એવા પરમાત્મા પણ આપ, ભૂતરાર્જક અને ભૂત ભર્તા પણ રપ અને ક ના એ. * આપ. યજ્ઞના ભોકતા પણ આપ. અને મહેકવર પણ ના પ. હવે મારી સરી ગયો છે મને પૂરું આત્મભાન થયું છે. હવે આપના આયે રહી બાપનું કહું કરીશ.”