________________
અધ્યાય આઠમો
૩૪૧
::
છે ? (વળી તમે કહ્યું તેમ) પ્રયાણ વખતે-અંત વેળાએ સંયમીઓ દ્વારા આપ કઈ તે જ્ઞાત થાઓ છો? (એટલે કે સંયમીઓ અંતકાળે આપને કયા સ્વરૂપે અથવા ઓળખી શકે છે,) એ બધું કૃપા કરીને સમજાવો.
श्रीकृष्ण उवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते । भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥३॥ अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् । अधियज्ञोऽहभेवात्र देहे देहमृतां वर ॥४॥
• શ્રીકૃષણ બોલ્યા : અક્ષર છે પરંબ્રહ્મ, છે અધ્યાત્મ સ્વભાવ જ; જન્માવે ભૂત ભાવો છે, તે વિસર્ગ જ કર્મ છે. ૩ ક્ષરભાવ અધિભૂત, નર છે અધિદેવત;
આ દેહમાં અઘિયજ્ઞ, હેનરશ્રેષ્ઠ! હું જ છું. ૪ (હે અર્જુન! ધીરજથી સાંભળ હું હમણાં અતિ વિસ્તારથી નહિ તેમ અતિ જ પથી પણ નહિ એવી રીતે બધી વાતનો ફોડ પાડું છું. જો મેં તને જે રહ્મસ્વરૂપની વાત કરી છે) તે (પર) બ્રહ્મ તો (અવિનાશી જ છે), અક્ષર છે. તેનો
થી નાશ કે નથી જન્મ. તે તો અક્ષર જાણ, અગર જે સર્વોત્તમ અવિનાશી સ્વરૂપ છે એને બ્રહ્મ જાણ એ બેય સરખું છે. પણ આજે તો માત્ર તારે એ કેવળ શ્રદ્ધાથી જ માનવું રહ્યું. એ વિષે વધુ વાત હું પછીથી કરીશ. બીજુ) જે (પ્રાણીમાત્રને વિષે)
સ્વભાવજન્ય છે (એટલે કે સ્વસત્તાથી રહે છે, તે અધ્યાત્મ કહેવાય છે (આથી જ આ પ્રાણીને ગમે તેટલી બહારની સુખ સહાયબી મળે, છતાં એ સ્વભાવજન્ય એટલે કે - આધ્યાત્મિક ન હોવાથી શાંતિ વળતી જ નથી, તે તું જાણે છે. અધ્યાત્મ તો સહજ છે
છતાંય એના ભણી જીવ નથી જોતો અને બહાર જુએ છે એનું કારણ મોહને લીધે જન્મેલું અજ્ઞાન છે. એ વાત હું તને સમજાવી ગયો છું, અને તેથી જ જે ભૂતભાવને જન્માવે છે, તેને જ વિસર્ગ કહે છે. (વિસર્ગ એટલે પ્રાણીમાત્રને જન્માવનાર સૃષ્ટિવ્યાપાર.) આને કર્મ સંજ્ઞાથી પણ ઓળખી શકાય. (એટલે કે આ કર્મના સંગને લીધે જીવ, મોહમાં પડી વારંવાર જન્મ મરણાદિ સંસાર આપ મેળે વધારે છે.)