SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ચૌદમો. ૪૮૭ સવાલ રહે જ છે. એટલે અર્જુનને ઉદ્દેશીને ગીતાકાર, શ્રીકૃષ્ણમુખે આ બધું કહેવડાવે છે. અને છેવટે અર્જુન પૂછે છેઃ "અંતે તો ગુણોનો ઘટાડો કરીને એ ત્રણે ગુણોના બંધનથી જીવે મોક્ષ મેળવવો, એ જ જો અંતિમ માર્ગ હોય તો એવા ત્રિગુણાતીત પુરુષનાં ચિહન કયાં? એવા પુરુષની ચર્યા કેવી? કેમ ત્રણે ગુણોને વટાવાય?" આનો ઉત્તર પણ ગીતાકાર શ્રીકૃષ્ણમુખે અહીં અપાવી દે છે. અહીં સ્થિતપ્રજ્ઞ, ભકત અને આ ત્રિગુણાતીતનાં ઘણાં ખરાં લક્ષણો સરખાં આપી પોતાની નિષ્પક્ષપાતી દૃષ્ટિ સિદ્ધ કરી છે. આ રીતે આ અધ્યાય સૃષ્ટિવિજ્ઞાનના ઊંડા જિજ્ઞાસુઓ માટે આકર્ષક બન્યો છે. જૈનસૂત્રોમાં આ વિષય ખૂબ જ વિસ્તારપૂર્વક અનેક સ્થળે ચર્ચાયો છે. એની વ્યવહારુ વાસ્તવિકતા સચોટ સમજાવવાને કારણે જનસૂત્રોનો મહિમા ખૂબ છે. ગીતાના આ અધ્યાયની સાથે સંક્ષેપે એ વિષયનું સમન્વયીકરણ આપણે કરીશું, એથી એ વસ્તુ સપ્રમાણ સમજાશે. એટલું કહી હવે આ અધ્યાયમાં પ્રવેશ કરીએ. શરૂઆતમાં જ શ્રીકૃષ્ણગુરુદેવ કહે છે: "શિષ્ય અર્જુન ! ધીરો થા.” અને એમ બોલીને આગળ ચાલતાં ભાખે છે: चतुर्दशोऽध्यायः અધ્યાય ચૌદમો परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तम् । यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितोगताः ।।१।। इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः । सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ||२|| પર ફરી હું ભાખીશ, જ્ઞાનોમાં જ્ઞાન ઉત્તમ; જે જાણી સૌ મુનિ પામ્યા પરંસિદ્ધિ અહીં થકી. ૧ આ શાને આશ્રયી જે તે, પામ્યા મારી સધર્મતા; સર્ગે પણ ન જન્મે ને, ન પામે પ્રલયે વ્યથા. ૨ (ભારત ! જ્ઞાનોમાં પણ ઉત્તમ અને પર (એવું જે) જ્ઞાન (તે) હું તને) ભાખીશ, કે જે જાણીને સર્વે મુનિઓ અહીંથકી (આ મનુષ્યદેહે દેહ છૂટ્ય) પર સિદ્ધિ (પરંગતિ)ને પામ્યા છે.
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy