________________
४०८
ગીતા દર્શન
દૈત્યોમાં પ્રલાદ મહાભકત થયો. મતલબ કે પાપી યોનિઓમાં પણ આત્માની ઉજ્જવળતા હોઈ શકે છે.
त्' धातुन। गति सने संध्या अन्ने अर्थ थाय छे. सही साप गति' અર્થ લીધો છે.
ગાંધીજીએ રામનો અર્થ શસ્ત્રધારી પરશુરામ લીધો છે. એમણે પૃથ્વીને નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એવો વૈદિક ગ્રંથોમાં ઉલ્લેખ છે. જ્ઞાનેશ્વરજી “રામ”ને દશરથપુત્ર રામ તરીકે લે છે. દશરથપુત્ર રામનું કથન જૈન સાહિત્યમાં પ્રકારાંતરે પણ આવે જ છે.
જાહનવીનો અર્થ ગંગા છે. આને વિષે એમ કહેવાય છે કે "ભગીરથ સ્વર્ગમાંથી ગંગાને લાવતો હતો, ત્યાં જહુનું એને ગળી ગયો અને પછી સાથળ માંથી બહાર કાઢી માટે એ જાહ્નવી કહેવાય છે. આ પણ પૌરાણિક વાત છે. પુરાણની કથાઓ ચમત્કારિક છે. તેને શરીરરચના સાથે ઘટાવવાની માત્ર ખરી દ્રષ્ટિ પ્રગટવી જોઈએ, તો અતિશયોક્તિ વિના એ કથાઓનો મર્મ કળી શકાય.
सर्गाणामादिरंतश्च मध्यं चैवाहमर्जुन । अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥ ३२ ॥ अक्षराणामकारोऽस्मि द्वंद्वः सामासिकस्य च । अहमेवाक्षयः कालो धाताऽहं विश्वतो मुखः ॥ ३३ ॥ मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् । कीर्तिः श्रीर्वाक च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ।। ३४ ।। बृहत्साम तथा साम्नां गायत्री छंदसामहम् । मासानां मार्गशीर्षोऽहं ऋतुनां कुसुमाकरः ॥ ३५ ॥ द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् । जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववताहम् ||३६|| वृष्णीनां वासुदेवोऽस्मि पांडवानां धनंजयः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥ ३७|| दंडो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् । मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥ ३८ ॥