SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ જ રીતે અવન્તીના રાજા વિંદ અને અનુવિંદ દુર્યોધન અને જરાસંધના મિત્રમંડળમાં હતા, પણ તેમાંથી એકની પુત્રી મિત્રવિંદાએ સ્વયંવરમાં તરીકે ભગવાન કૃષ્ણને સ્વીકાર્યા. બંને બંધુ રાજાઓ તેને વારતા રહ્યા પણ ઘણા રાજાઓની વચ્ચેથી કૃષ્ણ તેને હરી ગયા. ભદ્રાએ કૃષ્ણને પરણવાની ઈચ્છા બતાવી, જેથી કેકય દેશના સંતર્દન વગેરેએ બહેનને દાયજા સહિત કૃષ્ણને વરાવી. આમ આઠમાંની ચારને પટરાણુઓ તરીકે આ રીતે સ્થાપી તેમની સ્વત ત્ર ઈચ્છા અને વ્યક્તિત્વનું મૂલ્ય પ્રભુએ સ્થાપિત કર્યું. ભરત સાથે ભાવાત્મક અક્ય સત્ય અને શૌર્યથી અંકિત પ્રેમ દ્વારા એમણે બીજી ચાર પટરાણું અને તેમના પરિવાર સાથે વ્યાપક પ્રેમસંબંધ જે રીતે બાંધે તે જોઈને સર્વભક્ત સત્રાજિતને મણિ પહેરી તેને ભાઈ પ્રસેન શિકાર કરવા ગયેલ, ત્યાં સિંહે તેને મારી નાખેલ. સિંહને જાંબુવાન રીંછે મારીને મણિ પિતા પાસે ગુફામાં રાખે; પરંતુ સત્રાજિત શંકાથી કૃષ્ણ તેના ભાઈને વધ કરી મણિ છીનવી લીધું છે તેમ કંલક મૂકયું. આ કલંક ધોવા કૃષ્ણ જાંબુવાન પાસે ગયા. જાંબુવાને મણિ અને પિતાની પુત્રી જાંબવતી તેમને પરણાવી. આયેતર રીંછ જાતિ સાથે લગ્ન સંબંધથી જોડાઈ કૃષ્ણ આય–આતર વચ્ચે લેહીના સંબંધથી એકતા સાધવાની પહેલ કરી. મણિ સત્રાજિતને આપી તેને વહેમ દૂર કર્યો અને સત્રાજિત પિતાની પુત્રી સત્યભામા કૃષ્ણને પરણાવી બેય પરિવાર વચ્ચે કાયમી પ્રેમસંબંધ દઢ કર્યો. એ જ રીતે મહાશક્તિધર સાત બળદને એકીસાથે વશ કરી કેસલપુત્રી નાગ્નજિતને તેમ જ મસ્યવેધ કરી ભારતભરના રાજવીઓને હતપ્રભ કરી તેમને મનથી વરેલી મદ્રરાજ બૃહ-સેનની પુત્રી લક્ષમણને પરણ્યા હતા. આમ દ્વારકાથી માંડી કેસલ, વિદર્ભ, અવંતી, કેય, મદ્રપ્રદેશ વગેરેનાં અનેક રાજગૃહને રીઝવી કે નમાવી શ્રીકૃષ્ણ પ્રેમપૂર્વક ભારતના
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy