SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ કિંતુ તેમાંય જે બ્રાહ્ય, સત્યરિપુ છતાં દિલે; જે ઊંડે હા પ્રભુપ્રીતિ, અંતે પ્રભુથી ઉદ્ધરે. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ પરીક્ષિતજી ! ભીમસેન દ્વારા જરાસંધ રાજવીને વધ થયા, એ ખરી રીતે ભગવાન કૃષ્ણની લીલાના જ એક ભાગ છે એમ જાણીને ધર્મરાજ યુધિષ્ઠિરજીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું : ‘હે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ ! આપ જે કઈ કરે છે. તે માત્ર લીલા જ લીલા છે. માટે જ આપની આનાના અગાધ મહિમા છે. આપ મને રાજસૂય યજ્ઞને માટે આજ્ઞા આપે. આ પ્રમાણે ધર્મરાજને યજ્ઞકાર્ય બાબતમાં ભગવાનની આજ્ઞા મળી જતાં તેમણે વ્યાસજી વગેરે ભરદ્રાજ, ગૌતમ, વિશ્વામિત્ર, જૈમિની, કણ્વ વગેરે સુયેાગ્ય બ્રાહ્મણુ ઉપરાંત ત્યાંના દ્રોણાચાય, ભીષ્મ પિતામહ, કૃપાચાય, ધૃતરાષ્ટ્ર અને તેમના દુર્ગંધનાદિપુત્રા તથા કાકા વિદુરજી વ. સૌને ખેલાવ્યા. મતલબ, એ રાજય યજ્ઞમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો સામેલ થયા, એ પછી આ બધા પવિત્ર બ્રાહ્માએ યજ્ઞભૂમિને સાનાના હળથી ખેડાવી; ધર્મરાજ યુધિષ્ઠિરને ધર્મ શાસ્ત્રાનુસાર યજ્ઞદીક્ષા આપી અને વિધિપૂર્ણાંકને રાજસૂય યજ્ઞ કરાવ્યેા, પછી બધા સભ્યાને એક વિચાર આવ્યો કે અગ્રપૂજ કેાની કરવી ? સહદેવજીએ કહ્યું : ‘સર્વ પ્રકારે યાગ્ય એવા મહાત્મા ધર્માંરાજ યુધિષ્ઠિરજીએ ભગવાન કૃષ્ણની જ અગ્રવૃન્ન કરવી જોઈએ.’અને ઉપસ્થિત સૌએ તરત એકી અવાજે એ વાતમાં પૂરી સંમતિ આપી દીધી. કારણ ત્યાં પૂજક અને પૂજ્ય બન્નેય યાગ્ય પાત્રો હતાં ! દ્રૌપદીજી, ભાઈએ વગેરે સૌની સાથે મળીને ધરાજે ઘણા પ્રેમભર્યા ઉમળકાથી ભગવાન કૃષ્ણના પગ પખાળ્યા અને ભગવાનનાં ચરણુકમલનું એ જલ માથે ચઢાવ્યું. ભગવાનને પીળાંપીળાં રેશમી વચ્ચે અને બહુમૂલ્ય આભૂષા પણ ભેટ ધર્યાં. આ સમયે ધરાજ
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy