SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ભગવાન કૃષ્ણ પર કલંક ઓઢાડયું કે તેઓ જ મારે મણિ મારા ભાઈને મારીને છીનવી ગયા લાગે છે. ખરી રીતે આ ખોટું કલંક હતું. ભગવાન તે કલંક ઘેવા છેવટે અક્ષરાજ પાસે મણિ લેવા ગયા. ત્યાં ઋક્ષરાજ રીંછે તો રામયુગની ભગવાન સાથે ઓળખાણ કાઢી મણિ સહિત તેણે પોતાની પુત્રી જાંબવતીને પણ આપી, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરી દીધા ! ભગવાને દ્વારકામાં ઉગ્રસેન રાજા સમક્ષ સત્રાજિત રાજવીને બોલાવી સ્થમંતક મણિ પાછો સે. સત્રાજિતે તે મણિ લોજિજત બની પાછો તો લીધે, પણ ભગવાન પર કલંક નાખ્યું તેથી ખૂબખૂબ પસ્તાયો. છેવટે ભગવાનને અને દ્વારકાવાસીઓને ખુશ કરવા પિતાની પરમ સુંદર કન્યા સત્યભામા ભગવાનને પરણાવી દીધી. સત્યભામાજી શીલ, સ્વભાવ, સુન્દરતા, ઉદારતા અદિ સદ્દગુણેથી યુક્ત હેવાથી સર્વજન વલભા હતાં. ભગવાને ફક્ત તેણેને સ્વીકારી અને મંતકમણિ તો સૂર્ય ભક્ત સત્રાજિત રાજને પાછે સેપે અને તેને લીધે નીકળતું રાજનું આઠ ભાર સાનું તેના આગ્રહવશ સ્વીકારી લીધું. શતધન્ધા-વધ અનુપ્રુપ સાજિત હણી પોતે, ભલે શ્રીકૃષ્ણથી મરે, શતધન્વા સ્વયં વાંછે, એવા એ શુભ મૃત્યુને. ૧ કેમકે મૃત્યુ છે નકકી, જે સર્વ જન્મવંતને; શતધન્વા ખરે તેથી, સામેથી મૃત્યુ નોતરે. ૨ કેટલુંક બને એવું, નિયતિ ધાર્યું હોય તે કિન્તુ અંતે વધે સૌથી, એક સત્ પુરુષાર્થ એ. ૩
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy