SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ અસુરોનાં લક્ષણે જેનામાં હોય છે તેનામાં કામ, ક્રોધ, લોભ, દંભ ભરેલા જ હેય. ભલે ને વાછરડા, બગલા, અજગર, ગધેડા કે મનુષ્યને દેહ તે ધરે, પણ તેમનું સત્વ આસુરી હેવાથી તે દત્ય, રાક્ષસ કે અસુર જ ગણાય છે. તેવા આસુરી સ્વભાવને વર્ણવતાં સંતબાલ કહે છે : (ઉપજાતિ છંદ). બીજાનું સારું ન સાંખી શકે; ને બહુ પિતાનું ન પારખે તે; બની અસર વળી વિશ્વ કે; ને બૂરું પોતાનું કરે ઘણું. કુમ, પશુઓ, દૈત્ય, ધંધા પાપના કરે; કરી અધર્મને હશે, સંસારચક્રમાં ભમે; રીઝે દેવે તથા મર્યો, ખીજે દૈત્યે પરાજય; ત્યારે જાણે પ્રભુ જમ્યા, અવતાર ધરી હરિ, (૫૩૨-૩,૩૬૯) શ્રી કૃષ્ણની બાળલીલાથી દિવ્ય ગુણધારી હરખાવા લાગ્યા અને પૂતના, તૃણાવને કૃષ્ણ મારી નાખ્યા એથી આખું દેત્મમંડળ ખીજે ભરાયું અને કેઈપણ રીતે કનૈયા ને બલરામને વધ કરવા તત્પર થયું. એક વખત લાગ જોઈ વાછરડા રૂપે વત્સસુર વાછરડાંના જૂથમાં ભળી ગયે. અસુરની ખૂબી એ છે કે સ્વજન જેવા દેખાવાને ડાળ કરી પેટમાં પેસી પગ પહોળા કરી હિતશત્રુનું કામ કરે. આવી કુટિલ નીતિને પ્રભુ કળી ગયા અને તે વાછરડા રૂપે આવેલ દૈત્યને પૂંછડેની પકડી આકાશમાં ઘુમાવી એવો તે પટક્યો કે તેના પ્રાણ નીકળી ગયા. બીજી વખત બગલા જેવો દંભ કરનાર બકાસુરે બગલારૂપે કૃષ્ણને પકડયા પણ તેમનો તાપ ન જિરવાતાં એકી કરવા અને ભગવાને તેની ચાંચના બે ભાગ તાણું પાંદડાની જેમ ચીરી નાખ્યો.
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy