SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કુન્જાને સૌંદર્યદાન થાય એકાગ્રતાથી જે, ભગવત્સુ સમર્પિત કરે તે નરનારની સૌ ચિતા ભગવાન સ્વયં! ૧ જ્યારે સન્નારી કુખ્યા, થઈ પૂર્ણ સમર્પિત તે ખીલવી શકી ત્યારે, સ્વ તન, મન, ચેતન ! ૨ શુકદેવજી બો૯યાઃ “પરીક્ષિત ! આ પછી જ્યારે ભગવાન કૃષ્ણ પિતાની સાથી–મંડલી સાથે રાજમાર્ગમાં આગળ વધ્યા ત્યાં એમણે એક એવી યુવતી જોઈ, જેનું મુખકમળ તે અતિસુંદર હતું, પણુ શરીરે કૂબડી હતી. આથી એનું નામ કુજા પડેલું. તે પિતાના હાથમાં ચંદનને થાળ લઈને રસ્તા પરથી ચાલી જતી હતી. એ નારી પર કૃપા કરીને પિતાના આ અવતારના સ્વરૂપભૂત (અથવા શૃંગાર) રસનું સુખ આપવા ભગવાને ઈછયું. આ દૃષ્ટિથી ભગવાને સ્મિત કરતાં પૂછી લીધું: “અરે સન્નારી! તમે કોણ છે ? આ ચંદન કાને માટે લઈ જઈ રહ્યાં છે ? કયાણું ! મને સાચે સાચું કહી દે. આ ઘણું ઉત્તમ ચંદન-આ મધુર અંગરાગ અમને પણ આપી શકશે ન ? એવું દાન કરવાથી તમને ખૂબ રસ પડશે અને પરમ શ્રેય પણ થશે જ.” તરત એ પણ એવું જ મધુરું બેલી “અરે પરમ સુંદર પુરુષ! કંસની એક પરમ પ્રિય છતાં દાસી છુ કંસ મહારાજા મને માન-સન્માન બહુ આપે છે. આજે તો મારે નામ ત્રિવક્રા અથવા કુ પડી ગયું છે, પણ હું કંસજીને ત્યાં ચંદન–અંગરાગ લગાડવાનું કામ કરું છું. મારાં બનાવેલાં ચંદન અને અંગરાગ ભોજરાજ એવા મહારાજા કંસને બહુ ગમે છે. પરંતુ આપ બનેનાં મુખડાં જોતાં મને લાગે છે કે તમ બંધુ જેડી કરતાં આવા ચંદન અને અંગરાગને માટે બીજુ કાઈ વધુ યોગ્ય નથી જ !
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy