SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. કપિલને અધ્યાત્મયોગ સાચા સંન્યાસીનું મૂલ્ય, આ રાષ્ટ્ર સર્વશ્રેષ્ઠ છે; કેમ કે ભગવત્ કૃત્ય તેઓથી જ બને જગે. ૧ શુદ્ધ ચિર પ્રભુ કેરું કલ્પી સ્થૂળ શરીર જે હોમાશે ભક્ત ભકતા તે, તેને જરૂર પામશે ૨ ભક્ત વિદુરજીની વાતોમાં આગળ વધતાં વધતાં ત્રેયજી બોલ્યા : “ભક્ત વિદુરજી ! પિતાને ત્યાં ખુદ ભગવાન જમ્યા તેથી કર્દમ ઋષિ અતિ પ્રસન્ન થઈ તેમને પ્રણામ કરીને એકાંતમાં બોલ્યા : હું વિષયલેલુપ પામર છું, છતાં યોગીને દર્શનદુર્લભ એવા મહાન અને નિર્ગુણ નિરંજન પરમાત્મા ! આપ સ્વપર કયાણ અથે, ભક્તજનને ત્યાં જન્મ ધારણ કરીને ભક્તજને ઉપર મહાકૃપા કરી તેઓને જે મહત્તા અપાવે છે, તે જોઈને હું ગદ્ગદિત થઉં છું. આપ એશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન, વિર્ય અને શ્રીથી પરિપૂર્ણતયા યુક્ત છો. હું તે આપને મારે આંગણે પ્રત્યક્ષ જોઈને ખરેખર કૃતકૃત્ય થઈ ગયે ! હવે આપ જાતે થઈને આજ્ઞા આપો તે હું સંન્યસ્ત લઈને ખરેખર આગળ વધવા માગું છું.” ભગવાન ખુદ બેલ્યા : “આ૫ ખરેખર ઋષિ અને મહાન છે તેથી મારી મહત્તા જરૂર ગાઓ છો બાકી મેં કશું વિશેષ કર્યું નથી. મારા આપેલા કોલને પાળવા કાજે મારે જન્મ આત્મદર્શનમાં ઉપયોગી થઈ શકે તેવા જિજ્ઞાસુ અને આત્માથીઓને માટે મુખ્યપણે થયો છે. કારણ કે આત્મજ્ઞાનને સૂકમમાગ હમણાં પરિસ્થિતિવશ લેપાઈ ગયો છે. ભલે હવે આપ સંન્યસ્ત માગે જાઓ, પરંતુ જે કાંઈ પ્રયોગરૂપે કાર્ય કરે ને ઈશ્વરાપણ બુદ્ધિ રાખીને જ કરજો. જેથી તે કાર્યો મારા આ મહાકાર્યના જ અંગરૂપ બની તેમાં મદદગાર બની જશે. સંન્ય
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy