SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ખાટું ? શરીર, પુત્ર, સ્ત્રી આદિના સ્થૂળ સબધા અનિત્ય છે; જ્યારે ઈશ્વર જ જેની પછવાડે છે, તે સૂક્ષ્મ સંબંધ નિત્ય છે. દુઃખની વાત એ છે કે માનવીને ઉત્તમ તક મળી છે, છતાં તે ઉપલક-એટલે કે ઉપરનું –જ મુખ્યપણે જુએ છે. ખરી રીતે જોવું તે એ જોઈએ કે આ બધાં ઉપરનાં દેખાતાં લેાભામણુાં દશ્યા પાછળ પણ મૂળ કારણ શું છે, અને તે કાં છે ? મારા પિતા કૃષ્ણ દ્વૈપાયને મને દ્વાપર યુગના અંતમાં શ્રીમદ્ ભાગવતરૂપી મહાપુરાણનું અધ્યયન એટલા માટે જ કરાવ્યું. આમ તે મારી કુદરતી રુચિ નિર્ગુણુ પરમાત્મામાં હતી, પરંતુ આ ભાગવતમાંની ભગવાન શ્રીકૃષ્ણ જગદ્ગુરુની અદ્દભુત લીલાએએ ખરેખર મારું હૃદય એવું તે હરી લીધું કે હવે એના ચિંતન વિના મને કશું કાંઈ જ ગમતું નથી. તારા જેવેા યોગ્ય અને જિજ્ઞાસુ શ્રોતા મળ્યા, એટલે હવે મારા આનંદની કાઈ સીમા રહી નથી, જો, સૌથી પહેલાં હું તને રાજિષ ખાંગતી વાત કહીશ. તે રાષિને જ્યારે લાગ્યું કે હવે મારું આયુષ્ય તૂટવામાં માત્ર બે ઘડી બાકી છે, ત્યારે જ ભાગવત શ્રવણથી ભગવાનના અભયપદને પ્રાપ્ત કરી લીધું હતું; તે તારે માટે તે હજુ પૂરેપૂરા સાત દિવસ જિંદગીના બાકી છે, એટલે જરૂર તારું અને તારા નિમિત્તે ભાગવત શ્રવણથી અનેક જીવાનું કલ્યાણુ થશે. મૃત્યુ સમયે ગભરાઈશ નહીં. હા, શરીર અને તેને લગતાં સબંધીઓના સબધામાં અહુ તા મમતા દૂર રાખી, માત્ર કન્ય સબધ જ રાખે ! શરૂઆતમાં તે પૈકીના મેાહ-સંબધથી છૂટી વ્ય-સંબંધ નક્કર બનાવવા માટે તે બધાંથી વેગળા એકાંતમાં રહેવું પડે, ખરું. અને સ્થિર આસને પવિત્ર જગ્યાએ પવિત્ર “ૐ” કારના મનને દુમીને નક્કર જાપ પણ કરે ! પ્રાણને પશુ વશ કરવા જરૂરી તેા છે જ, છતાં જ્યારે મન ચંચળ થાય ત્યારે ભગવાનમાં તેને લગાડો દેવું, જેથી ક્રમેક્રમે જરૂર વાસનામુકિત થઈ જવાની.” રાજા પરીક્ષિતે જ્યારે પૂછ્યું: ‘મનને મેલ મટાડનારી ધારણા કઈ ?' શુકદેવજી ખેલ્યા “શરૂમાં આસન :
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy