SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભ. કૃષ્ણનું દ્વારકાગમન જે આસક્ત લઈ એઠું સદાચાર પ્રચારનું; ઉતારી પાડતા કાન્ત સંત પ્રવેગકારને ૧ ત્યાં ઘઉં કાંકરા પેઠે, જનતાને જનાર્દન; ઉઘાડા પાડી તે સૌને, પૂજાવે સત્ય આ જગે. ૨ અવ્યક્ત નીતિ ને ન્યાય, ને વ્યક્ત વિશ્વશાતિ છે; મેળવે તાલ બને, પ્રગકાર સંત તે. ૩ આગળ વધતાં સૂત બેલ્યા : “હવે ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરથી વિદાય થવા લાગ્યા કે વ્યાસમાતા સત્યવતી ધૌમ્ય-કૃપાચાર્ય વગેરે ઋષિજને તથા દ્રૌપદી, ગાંધારી, કુંતી, સુભદ્રા, ઉત્તરા તથા ભીમ–અનાદિ પણ યુધિષ્ઠિર સહિત વ્યથિત થવા લાગ્યા.” સત કહે છે: “હસ્તિનાપુરની નારીઓ કહે, “પ્રલય વખતે પણ જે મૂળરૂપમાં રહે જ છે, એવા આદિપુરુષ અને પૂર્ણ બ્રહ્મરૂપ પરમાત્મા જ આ છે; ખરેખર તો આમની ભક્તિથી જ જગતની જે પરમવિશુદ્ધિ થાય છે તે કદી યેગ, ધ્યાન વગેરેથી થતી નથી. ખરેખર યદુવંશ આ દુનિયામાં સદ્દભાગી છે કે જ્યાં ભગવાન ખુદ જમ્યા. રુકિમણી આઠ પટ્ટરાણુઓમાં પણ વધુ માનિની હાઈ ઘણી સદ્દભાગિની નારી છે કે જેને વારંવાર ભગવાનના શરીરનું સ્પર્શ સુખ અને હેઠ દ્વારા અમૃતપાનનું સુખ મળી જાય છે ! જેના સ્મરણ માત્રથી ગોપીઓ પિતાના દેહનું જ સાવ ભાન ભૂલી જાય છે, ખરેખર તે ધન્ય નારીરને છે.” સૂત આગળ વધતાં કહે છેઃ “...કુરુજાંગલ, પાંચાલ, શૂર
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy