SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર ભૂમિમાં દીર્ઘયજ્ઞ કરવાનું વિચાર્યું, તે પણ અનાયાસે મહામંગલ કાર્ય બની ગયું છે.” શૌનકાદિ ઋષિઓ બોલ્યાઃ “આપને સુગ અમને થયે તે પણ અમારાં મહાન ભાગ્ય ! કારણ કે કથા ગમે તેટલી મધુર હોય, પણ એને કહેનારા શ્રેષ્ઠ વક્તા ન હોય તે તેની મધુરતા, શ્રોતાઓ ગમે તેટલા સુયોગ્ય અને કથારસિક હોય, તે પણ ઓછી યોગ્યતાવાળા પાસે એવી કથા સાંભળવામાં મધુરતા જાગતી નથી. આપ તે બને રીતે સુપાત્ર છે. જેમ આપનામાં પ્રખર બુદ્ધિ છે તેમ આપનામાં ભગવાનની યથાર્થ શ્રદ્ધા અને ધારણા પણ છે. એટલે જ અમારી આતુરતા વધી ગઈ છે.” સત બેલ્યા: “સૌથી પહેલાં તે પરમાત્મા અને પછી વ્યાસ ગુરુને નમીને શુકદેવજી વિષે જ શરૂઆતમાં થોડુંક કહી દઉં: તદ્દન બટુક અવસ્થામાં શુકદેવ વૈરાગ્યવાસિત થઈ ઘેરથી નીકળી પડેલા. આવો અબેધ લેખાતે બટુક સાવ નાની ઉમરમાં નેધારે (કેઈને પણ સહારો લીધા વિના) એકાએક નીકળી પડે, ત્યારે સગા પિતાજીને કેટલું બધું લાગી આવે! આથી વ્યાસ જેવા જગદગુરુ પણ “એ બેટા! એ બેટા !” કહી વિરહવ્યથા ઠાલવવા લાગ્યા ત્યારે શુકદેવજી પોતે જવાબ આપે તે પહેલાં શુકદેવની વતી વૃક્ષો જ બોલી ઊઠેલાં આત્મવત્ સર્વ ભૂતેષુ” સૂત્રનું આથી વધુ બીજું કયું પ્રત્યક્ષ પ્રમાણ જોઈ શકીશું ? એવા યોગ્ય મહાપુરુષનું કથેલું આ રહસ્યપૂર્ણ અને પરમ નિઃસ્વાર્થ ભકિતને તાદશ પરિચય કરાવે તેવું મહાપુરાણ છે. આ કલિકાળમાં આયુષ્ય પણ ઓછું છે અને આ યુગમાં લેકે પણ તર્ક પ્રધાન છતાં વાસ્તવિક રીતે જોતાં તેઓ કમભાગી પણ છે અને મંદબુદ્ધિ પણ છે. તેમને સારુ તમો બધા સ્વીકારે છે. તેવી જ પામર દશા છે. એટલે જ શુકદેવ જેવા
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy