SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ તેણીનું નામ હતું દુ:શલા. પાંડુનાં પત્નીનું નામ કુ ંતી હતું, શાપવશ પાંડુ તેની સાથે સડવાસ કરી શકતા નહીં, તેથી કુ ંતીને ધર્મ, વાયુ અને ઇંદ્ર દ્વારા ક્રમશઃ ત્રણ પુત્રો : (૧) યુધિષ્ઠર (૨) ભીમ અને (૩) અર્જુન થયા. આ ત્રણેય મહાન વીરેા હતા, પાંડુનાં ખાં પત્ની હતાં માદ્રીજી, એમને અશ્વિનીકુમારના સહવાસે જે એ ગુણ પુત્રો જન્મ્યા તેમનાં નામેા ક્રમશઃ સહદેવ અને નકુલ હતાં !!! આ પાંચ પાંડવા દ્વારા દ્રૌપજીના ગર્ભથી જે પરીક્ષિત ! તમારા પાંચ કાંકા પેદા થયા ઃ (૧) યુધિષ્ઠિરપુત્ર પ્રતિવિન્ધ્ય (૨) ભીમસેનપુત્ર શ્રુતસેન (૩) અર્જુનપુત્ર શ્રુતકીર્તિ` (૪) નકુલપુત્ર શતાનીક અને (૫) સહદેવપુત્ર શ્રુતકર્મા, આ સિવાય પણ પત્ની પૌરવીથી યુધિષ્ઠિરને દેવક, ભીમપત્ની હિડંબાથી ધટોત્કચ અને અર્જુનપત્ની કાલીથી સર્વાંગત નામના પુત્ર થયેલા. સહૂદેવની પત્ની પૂર્વાંતકુમારી વિજયાથી સહેાત્ર અને નકુલની કરેણુમતીથી નમિત્ર રાજા થયેા. અર્જુનને નાગકન્યા ઉલૂપીના ગર્ભથી ઈરાવાન અને મષ્ણુપુરનરેશની કન્યાથી બભ્રુવાહનના જન્મ થયે, એ લગ્નસમયમાં શરત મુજબ પેાતાના માતામહ(નાના) ને જ પુત્ર ગણાયા. વળી અર્જુનને સુભદ્રા નામની પત્નીથી હે પરીક્ષિત ! તમારા પિતા અભિમન્યુને જન્મ થયેલે, જે અભિમન્યુએ બધા અતિરથીઆને જીતી લીધા હતા, એ જ અભિમન્યુજીનાં ધર્મ – પત્ની ઉત્તરાષ્ટ્રની કૂખે તમારા જન્મ થયેલે. હે પરીક્ષિત ! તે સમયે કુરુવ ́શના નાશ થયેલે. મહાભારતમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમે પણ બળી ગયેલા, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના પ્રભાવને કારણે તમા એ ભસ્મીભૂત થયેલી કાયામાંથી જીવતા જગતા નીકળી આવ્યા !' ઇતિહાસની ઝાંખી આ ખાટુ' અથવા સાચું, છેડે સાપેક્ષ સૌ ઠરે; ઊંડુ હૈચે પડેલું તે, અંતે તે! સત્ય સિદ્ધ છે. ૧
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy