SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ આપ્યા અને હાથ પકડી એને બહાર ખેંચી કાઢી. એ વખતે દેવયાનીએ પ્રેમભરી વાણીમાં ધીર યયાતિરાજને કહ્યું : વીર શિશ્નમણિ રાજન ! આજે આપે આ રીતે પણ મારા હાથ પકડયો છે, તે હવે આ મારા હાથ ખીજા કાઈ ન પકડે ! એમ હું ઇચ્છું. હું કૂવામાં પડી જવાથી જો મને અચાનક આપનાં દર્શન થયાં છે, તે આ આપણા સંબંધને ભગવાને જ કરાવી આપેલા સંબંધ સમજવે ધરે ! આમ થવામાં આપણે આપણી કે કોઈ માનવીની આ કૃતિ ન માનવી જોઈએ. વીરશ્રેષ્ઠ ! પહેલાં મેં બૃહસ્પતિપુત્ર કચને શાપ આપી દીધા હતા, એથી એણે પણ મને શાપ આપી દીધા હતા. એથી એણે પણ મને શાપ એવા આપી દીધેલે, જે કારણે બ્રાહ્મણ સાથે તે! માાં લગ્ન થઈ શકે તેમ નહતું !' વાત એમ બનેલી કે ગૃહપતિપુત્ર કચ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા શીખ્યા, શીખ્યા પછી તે ઘેર જવા લાગ્યા ત્યારે દેવયાનીએ તેને વરવા ઇન્ક્યુ પણ ગુરુપુત્રીને તે પત્ની તરીકે કેમ સ્વીકારી શકે? એટલે દેવયાનીએ તેની વિદ્યા નિષ્ફળ જાય એમ કહ્યું અને કચે દેવયાનીનું લગ્ન બ્રાહ્મણ સાથે નહીં થાય. એમ આ કુદરતી ઘટના બનેલી આમ તા વીર યયાતિને આ શાસ્ત્ર-વિરુદ્ધ લગ્ન પસ ંદ નહાતું; પરંતુ જ્યારે રાજ યયાતિએ જોયું કે ખુદ સામે ચાલીને પ્રારબ્ધ (અહીં ભવિતવ્યતા રૂપ પ્રારબ્ધ લાગે છે, માટે) આપેલી ભેટ તરીકે આ છે, તા સ્વીકાર કરવા જ જોઈએ! વળી મારું આ કન્યા તરફ કુદરતી રીતે આકર્ષણ પણ થાય છે. આ માત્ર મેહ નથી !! એમ જો આખરે રાજ યયાતિએ કન્યા દેવયાનીની વાત ખુશીથી સ્વી કારી લીધી અને પછી પેાતાના રાજ્ય ભણી તે ચાલી નીકળ્યા,” બ્રહ્મચારી શુકદેવજીની આ અધૂરી વાત આગળ સાંભળવા માટે પરીક્ષિત રાજ આતુર બની ગયા !
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy