SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ અને વાસ્તવિક સત્ય પરબ્રહ્મ એવો આભા જ પરમાત્મા છે ? વિશ્વરૂપ છે!! એમનાં અનેક નામે અને અનેક શક્તિઓ છે. તેઓ બીજને દાખલે બતાવવા પિતાની મર્યાદામાં રહીને કર્તવ્ય કર્મો સતત કર્યા જ કરે છે. આખરે તો તેઓ જ સર્વ ધર્મોના પ્રવર્તક અને જીવનદાતા છે. એકવાર એવા સ્વાયંભુવ મનુ ભગવાન ઉપનિષદરૂપ શ્રુતિને પાઠ કરતા હતા. ત્યાં ઝોકું આવ્યું અને તરત તેમને ખાવા માટે તેમના ઉપર રાક્ષસો તૂટી પડયા. તે જ વખતે અંતર્યામી ભગવાન યજ્ઞપુરુષ પોતાના પુત્ર યામની સાથે ત્યાં આવી પહોંચ્યા અને અસુરને સંહાર કરી નાખ્યો. બીજા મનુનું નામ સ્વાચિષ હતું. તે અગ્નિના પુત્ર હતા. તેના પુત્ર છુમાન, સુષેણ અને રાચિષ્માન આદિ હતા. તે મવંતરમાં ઈંદ્રનું નામ રોશન હતું. પ્રધાન દેવગણ, તુષિત આદિ તે કાળે હતા. ઉર્જતંભ આદિ વેદવાદી ગણ ત્યારે સપ્તર્ષિઓ હતા. તે વખતે વેદશિરા ઋષિને તુષિતા નામની પત્ની હતી. તેના ગર્ભથી ભગવાને “વિભુ નામનો અવતાર ધારણ કર્યો. તેઓ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. તે કારણે અઠાસી હજાર ઋષિઓ વતનિષ્ઠ બની બ્રહ્મચારી થઈ ગયા. ત્રીજ મનુ પ્રિયવ્રતના ઉત્તમ પુત્ર હતા. તે મનુના પુત્રોનાં નામ પવન વગેરે હતાં. એ મનવંતરમાં વશિષ્ઠજીને પણ પ્રમદ વગેરે સાત પુત્રો હતા. અને સત્ય વગેરે દેવતાઓનાં પ્રધાન જૂથ હતાં. તે વખતે ઈનું નામ સત્યજિત હતું. તે વખતે ધર્મનાં સુવ્રતા પત્નીને ગર્ભે પુરુષોત્તમ ભગવાને સત્યસેનને નામે અવતાર ગ્રહણ કરેલ. સત્યવ્રત નામના દેવગણું પણ એમની સાથે હતા. ત્યારે દુષ્ટ યક્ષ-રાક્ષસે વગેરેનો સંહાર કરેલ. ચેથા મનુનું નામ તામસ હતું, તે ત્રીજા મનુના સગા ભાઈ થતા હતા. તેમના પૃથુ વગેરે દશ પુત્ર હતા. સત્યક આદિ પ્રધાનગણ અને ઈંદ્રનું નામ ત્રિશિખ હતું. મવંતરમાં જ્યોતિર્ધામ વગેરે સપ્તર્ષિઓ હતા. તે વખતે વૈધૃતિ વગેરે દેવોએ નષ્ટ આય વેદોને બચાવેલા. એ વખતે ઋષિપત્ની હરિણીના ગર્ભે
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy