SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ વહેલે પામી શકે, પરંતુ એ જ્યાં લગી ભગવાનને ખરેખર પામે નહીં, ત્યાં લગી સાધનામાં એ દુઃખીને દુ:ખી જ રહ્યા કરે છે. એથી જ ધિક્કારને માર્ગ કઈ પણ ભક્ત પસંદ કરતા નથી. વેન રાજ તે કોઈ પણ ભાવે એશ–આરામમાં મગ્ન રહેલો અને એણે હિંસા તથા બળરીને જ ઉપયોગ કરેલો. પછી એને નરકમાં જવું જ પડે ને ?' આ વિસ્તૃત ઉત્તરથી ધર્મરાજ યુધિષ્ઠિરને સમાધાન થયું. જય-વિજયને શાપ વિષ્ણુ સમીપ વૈકુંઠે, વસે તેય વિકતા ચૂકે તેઓ પડે નિ, અંતે ભલે ચઢે છતાં. ૧ માટે વિવેક છે મુખ્ય, ધર્મમાં પ્રાણ રૂપ તે; મળે સત્સંગથી માટે, સત્સંગ મુખ્ય છે જગે. ૨ રાજ યુધિષ્ઠિરે નારદજીને પૂછ્યું: “ઋષિવર ! ભગવાનને પાર્ષદો પર પણ અસર કરી શકે એવો શાપ કેણે આપેલ છે અને એ શાપ કેવા પ્રકારને હતો ? ભગવાનના અનન્ય પ્રેમી જીવને પણ સંસારમાં આવવું પડે, એ વાત તે વિશ્વાસ મૂકવા જેવી ન ગણાય તેવી છે. વૈકુંઠમાં રહેવાવાળા જીવોને આવો સામાન્ય દેહ મળે, એ વાત જ ગળે ઊતરે તેવી નથી. તે પછી આ બધું કેમ બન્યું ? તે આપ જરૂર સમજાવે !” નારદ ઋષિ બોલ્યા : “છે તે નવાઈ જેવી છતાં એ વાસ્તવિક બની છે. વાત એમ છે કે એક વખત બ્રહ્માના માનસપુત્ર સનકાદિ ઋષિએ ત્રણેય લોકમાં સ્વેચ્છાવિહારે વિચરતો વિચરતાં ઠેઠ વૈકુંઠમાં પહોંચી ગયેલા. આમ તે સનકાદિ ઘણું પ્રાચીન
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy