SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજશ્રીએ તેમની વાતો શાંતિથી સાંભળી. ભવાનજી અરજણ ખીમજી અને જયાબહેન શાહને કાગળ લખી આપ્યો. તા. ૧-૬-૫૭ : વડગાસ ગોરૈયાથી નીકળી વડગાસ આવ્યા. અંતર ચાર માઈલ. તા. ૨, ૩-૬-૫૭ : વણી વડગાસથી નીકળી વણી આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. તા. ૪, ૫, ૬-૬-૫૭ : રહેમલપુર વણીથી નીકળી ૨હેમલપુર આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો સહકારી ખેતી મંડળની ઑફિસમાં રાખ્યો. ગામલોકોએ સ્વાગત કર્યું. અહીંની ખેતી મંડળીએ સારી પ્રગતિ કરી છે. તા. ૭-૬-૫૭ : સોખડી ૨હેમલપુરથી નીકળી સોખડી આવ્યા. અંતર ચાર માઈલ હશે. ગામે સ્વાગત કર્યું. અહીં લોકોએ બે સાધુબાવાને ખૂબ માર્યા હતા. કારણમાં બાળકોને ઉઠાવી જાય છે એવી અફવાથી મારેલા. આ બાવાઓએ મહારાજશ્રીને ફરિયાદ કરી. મહારાજશ્રીએ તેમને આશ્વાસન આપ્યું અને ગામલોકોને ઠપકો આપ્યો. એક જાહેર નિવેદન બહાર પાડ્યું અને ભારત-સેવક સમાજને આની વિગત લખી જણાવી. તા. ૮-૬-૫૭ : સચાણા સોખડીથી નીકળી સચાણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. અહીં ગામલોકોએ બહુ ધ્યાન ન આપ્યું. સગવડ પણ બરાબર ન કરી એટલે કે અમારા આગમનમાં ઓછો રસ ધરાવ્યો. પરંતુ મહારાજશ્રીએ તો તેમને પ્રેમથી ધાર્મિક વાતો કરી અને ગેરસમજ દૂર કરવા જણાવ્યું. તા. ૯, ૧૦-૬-૫૭ : છારોડી સચાણાથી નીકળી છારોડી આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. રાત્રિસભા સારી થઈ. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું ૬૭
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy