________________
જોઈને મને થયું કે તેમનામાં કેટલી બધી ધગશ છે ! મેં તેમને ધોળકા બોલાવ્યા. તેમણે કહ્યું, કાર્ય વખતે હું સામે હતો. હવે ફરીથી હું પ્રચાર નહીં કરી શકું. તેમની મર્યાદા સમજીને મેં તેમને છૂટ આપી. તેમણે સ્પષ્ટ કહ્યું, હું વેપારી છું, તમો ઉત્પાદક છો. તમારે વેપારની શરમ શું કામ રાખવી ? પણ સ્વાર્થ ન હોવા છતાં કમજોરીને લીધે આપણે શરમ છોડી શકતાં નથી. બન્ને બાજુ હા જી હા કરીએ છીએ. તેથી ભારે નુક્સાન થાય છે. બાબુભાઈ ગયે વખતે સામે હતા. હવે દિલ દઈને કામે લાગ્યા છે તે આનંદની નિશાની છે. હવે મહારાજનો વારો આવ્યો છે. લોકોને નફરત આવી છે. તેમને સુધારી લેવાની કોઈકે તો તત્પરતા
રાખવી પડશે ને ? તા. ૩૧-૩-પ૭ :
આજે સવારના નવ વાગે ભાલ નળકાંઠા ખેડૂત મંડળની મધ્યસ્થ પ્રતિનિધિ મંડળની મિટિંગ મળી. તેમાં પાછળનો હેવાલ વાંચ્યા પછી બજેટ મંજૂર કરવામાં આવ્યું. કાર્યકરોના વેતન સંબંધી ઠીક ઠીક ચર્ચાઓ થઈ.
બપોરના ચાર વાગે ગણોતધારા શુદ્ધિપ્રયોગની પૂર્ણાહુતિ સમારંભ યોજાયો. પ્રથમ અંબુભાઈએ શુદ્ધિ શા માટે ? તેનો ખ્યાલ આપ્યો. તેમાં ૩૨ ભાઈઓ અને ૮ બહેનોએ ત્રિઉપવાસી તરીકે ભાગ લીધો. એ રીતે ૧૮ X ૩ = ૨૪૩ ઉપવાસીવાળા, દશ હજાર સહાયક ઉપવાસો નોંધાયો હતાં. ત્રિઉપવાસી કરનારાઓ પહેલ-વહેલા જ હતા, છતાં એકંદરે તબિયત સારી રહી હતી. કેટલાક ભાઈઓને ઉબકા જેવું થયું હતું. ૨૫ ખેડૂતોએ જમીનત્યાગ કરવાનો સંકલ્પ કર્યો છે. ઉંમરગઢ – ૨, જવારજ – ૧, ગૂંદી - ૧, નાની બોર - ૧, મિંગલપુર – ૨૦, સંખ્યાને કુલ જમીન ચા, બીડી, પાન, અફીણ વગેરે છોડવાની પ્રતિજ્ઞાઓ પણ લેવાય છે. જે પચાસ ખેડૂતોએ સ્વેચ્છાએ જમીન છોડી છે તેમણે કંઈ આજ્ઞાની ઇચ્છા રાખી નથી. પણ પ્રદેશની ફરજ છે કે તેમને નિભાવવાની તૈયારી કરવી. પાંચ ભાઈઓ, પાંચને નિભાવવા તૈયાર થયા, મેવાડી મુનિએ તો આ પ્રસંગે સુંદર સંદેશો મોકલ્યો હતો. મહારાજશ્રી,
આ બધું શા માટે ? તારણ કાઢીએ... ધંધૂકા તાલુકા બધામાં આગળ રહે છે. ચાર તાલુકા કાર્યપ્રદેશ છે. આ પાંચ ગામોમાં રાણ ધોળકાનાં છે. ૪૮
સાધુતાની પગદંડી : પુસ્તક -- છઠું