________________
તા. ૨૧-૨-૫૭ :
આ ૨૯ દિવસ ભલગામડાએ એકધારી સેવા કરી. બહેનો-ભાઈઓ સૌએ દિલથી સાથ આપ્યો. મહેમાનોની પૂર્ણ સગવડાત કરી. મહારાજશ્રીની બધી સગવડતા સાચવી. રાઘવજીભાઈનું ઘર નજીક હોવાથી અમારું ઘર થઈ ગયું હતું. રળિયાતબહેન આખો દિવસ પાણી ગરમ કર્યા જ કરે. જયારે જુઓ ત્યારે હસતાં હસતાં તૈયાર જ હોય. તેમનો ચૂલો આખો દિવસ ચાલતો જ હોય. કંઈ ને કંઈ કરતાં હોય. રાઘવજીભાઈ મહેમાનોની જમવાની વ્યવસ્થા સંભાળતા હતા. વિદાય વખતે બન્ને ભાઈઓ, બાળકો વગેરે તૈયાર થઈને આવ્યાં. સૌએ ગીતો ગાતાં ગાતાં પાદર સુધી આવી પ્રેમાળ વિદાય આપી. તા. ૨૨-૨-૫૭ : તગડી
ભલગામડાથી સવારના નીકળી તગડી આવ્યા. અંતર એક માઈલ હશે. ઉતારો એક ખાનગી ઘરમાં રાખ્યો હતો. બે આગેવાનોએ સ્વાગત કર્યું.
કરશીભાઈ અને રતુભાઈ અદાણી રાણપુર જતાં મળી ગયા. અદાણીની ચારે કઆમાં મિટિંગ સારી થઈ. તા. ૨૪-૨-પ૭ : ચંદરવા
વેજલકાથી નીકલી ચંદરવા આવ્યા. અંતર દોઢ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો.
રાત્રે જાહેરસભા થઈ. અહીંનું વાતાવરણ કોંગ્રેસ તરફી જ છે. આજે ભરવાડોની ઘણી જાતો આવી. તેઓ એક માંડવે સંખ્યાબંધ લગ્ન કરતાં હોય છે. એક જ જાતનો પહેરવેશ - લાલ ફાળિયું ને ઉપર પટ્ટી કેડિયું અને હાથમાં લાકડી અને બહેનોનો પણ એક સરખો પહેરવેશ સુંદર લાગતો હતો.
રાત્રે સાંભળ્યું કે સુંદરિયાણનું વાતાવરણ સારું નથી એટલે મહારાજશ્રીએ ત્યાં થઈને જાળિલા જવાનું વિચાર્યું. તા. ૨૫-૨-૫૭ : સંદરિયાણા
ચંદરવાથી નીકળી સુંદરિયાણા આવ્યા. અમારી સામે ત્રણ જણ કેસરભાઈ, તારાચંદભાઈ અને કાઠીભાઈ આવ્યા. ગામને ખબર મોકલી. લોકોએ સ્વાગત કર્યું. કેટલાંકને બીક હતી કે આ ગામ અપમાન કરશે, કારણ કે કોંગ્રેસ વિરોધી વાતાવરણ હતું. ગઈ કાલે પણ કોંગ્રેસની મોટર
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૪૩