SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સથારી કામ તથા વાસણ કામ ઉદ્યોગ મોટા પ્રમાણમાં ચાલે છે. દિગંબરી જૈનોનાં ત્રીસેક ઘર અને છે. ઘરમાં તે ગુજરાતી ભાષા વાપરે છે. સોનગીરથી નગાવ આવ્યા. અત્રે અહમદનગરથી શ્રી કુંદનમલ ફિરોદીયા તરફથી એક કાર્યકરભાઈ અહમદનગર જિલ્લાનો કાર્યક્રમ નક્કી કરવા આવી ગયા. કાર્યક્રમ મુજબ ચૈત્રી સુદી-૧૩ લગભગ અહમદનગર પહોંચી જવાની ધારણા છે. નગાવથી ધૂળિયા આવ્યા. શહેરમાં પ્રવેશતાં જ આગેવાનો તથા કાર્યકરોએ ભાવભીનું સ્વાગત કર્યું. અને હરિજન છાત્રાલય, સ્વોદ્ધારક વિદ્યાર્થીગૃહ, અનાથાશ્રમ વગેરે કેળવણી સંસ્થાઓ ચાલે છે. અત્રેની એક સંસ્થામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોની સભા રાખી હતી. આ સભામાં હરિજન કાર્યકરો, નાગરિકોએ હાજરી આપી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે ધૂળિયા જેવા શહેરમાં પ્રવેશ કરતાં જ તમારા દર્શન થાય છે તેથી આનંદ થાય છે. ભારતની સંસ્કૃતિ જોતાં જે લોકો પાછળ રહ્યાં છે તેમના તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. સદૂભાગ્યે અહીં બર્વે જેવા સેવક પાક્યા. બાપુની ઇચ્છા મુજબ તેમણે પછાત વર્ગોમાં ઘણું કામ કર્યું છે અને ઠક્કરબાપાનો વારસો જિલ્લામાં જાગ્રત કર્યો છે. તમે બધાં સાચું શિક્ષણ લઈ સમાજથી અતડાં ન પડતાં સમાજની સાચી સેવા કરજો. સમાજમાં પેસી ગયેલી કુરૂઢિઓને દૂર કરી લીધેલ શિક્ષણને દીપાવજો. નિરાધાર બાળકો પ્રત્યે હમદર્દી બતાવી તેમને સાચે રસ્તે દોરજો. ધૂળિયાના બે દિવસ નિવાસ દરમ્યાન કોંગ્રેસ હાઉસમાં બહેનોની સભા તથા ગુજરાતી સમાજ તરફથી એક જાહેર સભા યોજાઈ હતી. સમાજ તરફથી યોજાયેલી જાહેરસભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગુજરાતીઓ શાણા, કાર્યકુશળ અને બુદ્ધિશાળી છે. ગુજરાતની અસ્મિતા ત્યાગ અને સમર્પણની ભાવના દરેક ગુજરાતી જયાં જયાં વસતો હોય ત્યાં રહી વધુ કેળવી, સાચવી રાખે એ જાતનો અનુરોધ કર્યો હતો. નદી સાગરમાં મળીને પોતાનું વ્યક્તિત્વ ખોતી નથી પણ સાગરમાં ભળવાથી એક યા બીજી રીતે તેનું વ્યક્તિત્વ જળવાઈ રહે છે. ત્યાગથી કંઈ ખોવાનું નથી. ગાંધીજી કાઠિયાવાડી ચુસ્ત સનાતની રહ્યા છતા દુનિયાના અને સર્વ કોમના બની શક્યા હતા, મુંબઈ વિશે પ્રશ્ન નીકળતાં તેઓશ્રીએ જણાવ્યું કે પ્રશ્નો સંસ્કૃતિની રીતે વિચારવા જોઈએ. ભૌતિક કે ભૌગોલિક રીતે દષ્ટિથી વિચારીશું તો સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું ૧૮૫
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy