SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૬-૫૮ : ફરી વિહાર શરૂ કરી અંધેરી આવ્યા. ખાદી અગ્રણી જેરાજાણી તથા મણિબહેન નાણાવટી સાથે મુલાકાત. તા. ૧૩-૬-૫૮ : આગેવાન સહકાર્યકરો સાથે શુદ્ધિપ્રયોગ, સહકારી પ્રવૃત્તિ અંગે વિચારણા. મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કે. કે. શાહ સાથે મુલાકાત. તા. ૧૪-૬-૫૮: ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધીનાં પત્ની સુશીલાબહેન, કિ. ધ. મશરૂવાળાનાં પત્ની ગોમતીબહેન વગેરેની મુલાકાત. તા. ૧૫-૬-૫૮: અંધેરીમાં શ્રી વૈકુંઠભાઈ મહેતાના નિવાસ સ્થાને મુલાકાત. મહિલા મંડળ તેમજ હાઈસ્કૂલમાં પ્રવચન. ત્યારે કહે છે : ૨૨ વર્ષે મુંબઈ આવું છું ત્યારે આજનું પ્રવચન સાંભળવા નહીં, સમજવા આવ્યા છો એમ માનું છું. તા. ૧૬-૬-૫૮ : ગોરેગાંવ : મહારાજશ્રીના પૂર્વ સાથી શાંતિલાલ ભાવસારને ત્યાં. તા. ૧૭ થી ૧૯-૬-૫૮ : પૂર્વ મલાડ : મુલાકાતીઓની લંગાર ચાલુ. સાધુ નાનાલાલનો ચિતનીય પ્રસંગ. તા. ૨૦-૬-૫૮ : બોરીવલી : મોટા ગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશ હોવાથી પોતે હાજરી આપી. બપોરે ગ્રામોદ્યોગનું પ્રખ્યાત કેન્દ્ર કોરા કેન્દ્ર તેમજ તેના મુખ્ય કાર્યકર્તાઓ પ્રાણલાલ કાપડિયા વગેરેની મુલાકાત. તા. ૨૪-૬-૫૮: જોગેશ્વરી : જાહેર મુલાકાતો. તા. ૨૫-૬-૫૮ : વિલે પારલા : સાધના આશ્રમમાં. તા. ૨૭ જૂનથી ચાતુર્માસ પ્રવેશ અંગે ઘાટકોપરમાં પ્રવેશ આ ચાતુર્માસ દરમિયાન ઘાટકોપરનો એક બાજુથી અદૂભુત પ્રેમ અને છતાં કેટલીક સંકીર્ણતાના સંઘર્ષમાંથી તેઓ બંને પક્ષનું ઘડતર કરે છે - બહેનોની સવિશેષ પ્રવૃત્તિ વિકસાવે છે. પોતાની પ૫મી જયંતી અહીંની પ્રજાએ પ૫,૫૫૫ રૂપિયાનો ફાળો ભાલના ગામડાઓની રચનાત્મક પ્રવૃત્તિ માટે અને એટલી જ રકમ સ્થાનિક માતૃસમાજના નિમણિ અર્થે. અંજારની વાડીનો પ્રશ્ન, અમદાવાદના કોમી તોફાનના પ્રશ્ન અને ગણોતધારા વગેરે વિશેની માહિતી મળી રહે છે. નોંધઃ ટૂંકાવવાની દષ્ટિએ કેટલીક તારીખો વચ્ચેથી કમી કરી છે. - સંપાદક 20 સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy