________________
તા. ૧૨-૬-૫૮ : ફરી વિહાર શરૂ કરી અંધેરી આવ્યા. ખાદી અગ્રણી જેરાજાણી
તથા મણિબહેન નાણાવટી સાથે મુલાકાત. તા. ૧૩-૬-૫૮ : આગેવાન સહકાર્યકરો સાથે શુદ્ધિપ્રયોગ, સહકારી પ્રવૃત્તિ અંગે
વિચારણા. મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કે. કે.
શાહ સાથે મુલાકાત. તા. ૧૪-૬-૫૮: ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધીનાં પત્ની સુશીલાબહેન, કિ. ધ.
મશરૂવાળાનાં પત્ની ગોમતીબહેન વગેરેની મુલાકાત. તા. ૧૫-૬-૫૮: અંધેરીમાં શ્રી વૈકુંઠભાઈ મહેતાના નિવાસ સ્થાને મુલાકાત.
મહિલા મંડળ તેમજ હાઈસ્કૂલમાં પ્રવચન. ત્યારે કહે છે : ૨૨ વર્ષે મુંબઈ આવું છું ત્યારે આજનું પ્રવચન સાંભળવા નહીં,
સમજવા આવ્યા છો એમ માનું છું. તા. ૧૬-૬-૫૮ : ગોરેગાંવ : મહારાજશ્રીના પૂર્વ સાથી શાંતિલાલ ભાવસારને
ત્યાં. તા. ૧૭ થી ૧૯-૬-૫૮ : પૂર્વ મલાડ : મુલાકાતીઓની લંગાર ચાલુ. સાધુ
નાનાલાલનો ચિતનીય પ્રસંગ. તા. ૨૦-૬-૫૮ : બોરીવલી : મોટા ગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશ હોવાથી પોતે
હાજરી આપી. બપોરે ગ્રામોદ્યોગનું પ્રખ્યાત કેન્દ્ર કોરા કેન્દ્ર તેમજ
તેના મુખ્ય કાર્યકર્તાઓ પ્રાણલાલ કાપડિયા વગેરેની મુલાકાત. તા. ૨૪-૬-૫૮: જોગેશ્વરી : જાહેર મુલાકાતો. તા. ૨૫-૬-૫૮ : વિલે પારલા : સાધના આશ્રમમાં.
તા. ૨૭ જૂનથી ચાતુર્માસ પ્રવેશ અંગે ઘાટકોપરમાં પ્રવેશ
આ ચાતુર્માસ દરમિયાન ઘાટકોપરનો એક બાજુથી અદૂભુત પ્રેમ અને છતાં કેટલીક સંકીર્ણતાના સંઘર્ષમાંથી તેઓ બંને પક્ષનું ઘડતર કરે છે - બહેનોની સવિશેષ પ્રવૃત્તિ વિકસાવે છે. પોતાની પ૫મી જયંતી અહીંની પ્રજાએ પ૫,૫૫૫ રૂપિયાનો ફાળો ભાલના ગામડાઓની રચનાત્મક પ્રવૃત્તિ માટે અને એટલી જ રકમ સ્થાનિક માતૃસમાજના નિમણિ અર્થે. અંજારની વાડીનો પ્રશ્ન, અમદાવાદના કોમી તોફાનના પ્રશ્ન અને ગણોતધારા વગેરે વિશેની માહિતી મળી રહે છે. નોંધઃ ટૂંકાવવાની દષ્ટિએ કેટલીક તારીખો વચ્ચેથી કમી કરી છે. - સંપાદક
20
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું