________________
તા. ૨૦-૯-૫૭ : ખાંભડાના પીતામ્બર પટેલનું ૧૮મી તારીખે ખૂન થયું તેના
ખબર આપવા રાત્રે ખેડૂત આવ્યા. પીતામ્બર પટેલ ખેડૂત આગેવાન હતા. તા. ૧૩મી જુલાઈ મહારાજશ્રીને મળવા આવ્યા હતા અને વિગતે વાતો કરી ગયા હતા. તેમનું ગુંદી ગામમાં ખૂન
કરેલું. આ વાત જાણતાં જ મહારાજશ્રીએ ઉપવાસ શરૂ કર્યા. તા. ૨૬-૯-૫૭ : શિયાળ દવાખાનાના કમ્પાઉન્ડરનાં પત્નીએ સળગીને આપઘાત
કર્યો. તે અંગે ત્રણ દિવસના ઉપવાસ શરૂ કર્યા અને આખા પ્રગ્નની
તપાસ ખેડૂત મંડળના પ્રમુખ વીરાભાઈને સોંપી. તા. ૭-૧૦-પ૭ : તારાબહેનના પ્રશ્ન અંગે સાથીઓ સાથે ચર્ચા તા. ૮-૧૦-૫૭ઃ મહારાજશ્રીના મહારાષ્ટ્ર પ્રયાણ અંગે ચર્ચા. આદરોડા ચાતુર્માસ
પૂરા થયા. ગામે ખૂબ ભક્તિભાવ દર્શાવ્યો તે માટે પોતાની ખુશી
પ્રગટ કરી. તા. ૮-૧૧-૫૭: આદરોડા ચાતુર્માસથી વિદાય. પોતાનો સંતોષ અને શુભેચ્છાઓ.
પ્રથમ મુકામ કોચરિયા તથા ભાયલા મુકામ કર્યો. તા. ૯-૧૧-૫૭: ગાંગડ: મહારાજશ્રીની હાજરીમાં ગુજરાત વિદ્યાપીઠના મહામાત્ર
શ્રી મગનભાઈ દેસાઈને હસ્તે અંબર તાલીમ વર્ગનો ઉદ્ઘાટન. મહારાજશ્રીએ મુસ્લિમ લત્તામાં ચાલતા અંબર વર્ગની મુલાકાત
લીધી હતી. તા. ૧૬, ૧૭-૧૧-૫૭ : સર્વોદય આશ્રમ, ગુંદી : અહીં સંઘ સંચાલિત વિવિધ
સંસ્થાઓની બેઠકો યોજાઈ અને કાર્ય વિચારણા થઈ. મહારાષ્ટ્રમાં પોતે જઈ રહ્યા છે તે સમજાવ્યું. પ્રાંતીયવાદ માઝા મૂકે છે -
ગ્રામસંગઠનનો સંદેશો લઈને જાઉં છું. તા. ૧૭-૧૧-૫૭ : મહેસૂલ મંત્રી રસિકભાઈ સાથે મુલાકાત. તા. ૧૮-૧૧-પ૭ : સરગવાળા : રસ્તામાં લોથલના પુરાતત્ત્વ ટીંબાની મુલાકાત. તા. ૨૦-૧૧-પ૭ : નાની બોરુ : સઘન ક્ષેત્રના કામને વેગવંતુ બનાવવા પ્રયત્ન. તા. ૨૧-૧૧-પ૭ : અહીંથી નદી ઊતરી મીતલી. ત્યાંથી પાંદડ આવ્યા. અહીં
મિશનની વટાળવૃત્તિ અંગે ટકોર કરી હરિજનો સાથે પ્રેમથી વર્તવા
સમજાવ્યું. તા. ૨૪-૧૧-પ૭ : લુણેજ : ખેડા જિલ્લા ગોપાલક પરિષદમાં સંબોધન. તા. ૨૫, ૨૬-૧૧-પ૭ : ખંભાત : ધર્મમય સમાજરચનાનો ખ્યાલ આપ્યો. તા. ૨૬-૧૧-પ૭ : શ્રીમદ્ રાજચંદ્રજીના વડવા આશ્રમની મુલાકાત.
16
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું