SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૯-૬-૫૭ : મોરૈયા તા. ૩૦-૬-પ૭ : મટોડા આદરોડા ચાતુમાંસ તા. ૧-૭-૫૭ : પથાભાઈ પઢેરિયા (રાજપુત)ને ત્યાં ઉતારો. ચાતુર્માસ સ્થળ. ભંગીઓને ભૂદાનમાં મળેલ જમીનનો પ્રશ્ન તા. ૭મીએ. તા. ૮-૭-પ૭ : કોંગ્રેસના આગેવાનોની મુલાકાત પછી મહારાજશ્રીએ જણાવ્યું કે, “આજની કોંગ્રેસ બહુ નજીક આવે તેમ લાગતું નથી. તેથી મહારાષ્ટ્રમાં જઈ ત્યાં ગ્રામસંગઠનનો પ્રયત્ન કરવો જોઈએ. તા. ૧૩-૭-પ૭ : ખાંભડાના પીતામ્બર પટેલ મળવા આવ્યા. તેમણે કાઠીઓના ત્રાસ અંગે મહારાજશ્રીને વિગતો આપી. ત્યાં બે કોમ વચ્ચે ઘર્ષણ ચાલતું જ રહ્યાં. * ગુજરાત કોંગ્રેસે ભા.ન. ખેડૂત મંડળને અમાન્ય કરતું નિવેદન બહાર પાડ્યું. * કોંગ્રેસ પ્રમુખ શ્રી ઉ. ન. ઢેબર સાથે મુલાકાત. હૃદયસ્પર્શી મુલાકાત પણ કોંગ્રેસી સંબંધોમાં આગળ ન વધી શકાયું. તા. ૪-૮-૫૭ : “જે લોકો પોતાની સાથે નથી તે સામે છે. આ અંગે વિસ્તારથી સમજાવ્યું. કૉંગ્રેસ અંગે ઉગ્ર ચર્ચા. તા. ૭-૮-૫૭: ભાવનગરથી આત્મારામ ભટ્ટ મુલાકાતે આવ્યા. પોતે ધારાસભામાં ઉમેદવારી કરવાના તે અંગે સલાહ લેવા. તા. ૧૦-૮-પ૭ : પોતાના જન્મદિને ચિતનીય પ્રવચન કર્યું. સમયને વ્યર્થ વહી ન જવા દેતાં તેનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. તા. ૨૮-૮-પ૭ : સંવત્સરી દિન – ઉપવાસ, અને પોતાના સાથીઓની પણ ક્ષમા યાચના. સત્યપાલનમાં સૂક્ષ્મતા અને જાગરૂકતા - મનનીય પ્રવચન. તા. ૩૦-૮-પ૭ : મઢીથી આવેલ સત્સંગીને બ્રહ્મચર્યની દીક્ષા આપી. તા. ૩૧-૮-૫૭: મીરાંબહેનને – લાંબા પત્રો શા માટે લખો છો? ટૂંકા લખોને.. આ અંગે મનનીય પ્રવચન આપી સમજાવ્યું. તા. ૨-૯-પ૭ : સરલાદેવી સારાભાઈ સાથે મુલાકાત.. વાણીમાં વિવેક વાપરવા મીરાંબહેનના ઘડતરનો પ્રસંગ. તા. ૧૦-૯-૫૭ : સાધ્ય, સાધન અને સાધક ઉપર પ્રવચન. તા. ૧૦-૯-૫૭: અખિલ ભારત કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રીમન્નારાયણ અગ્રવાલની મુલાકાત. પ્રથમ મહારાજશ્રીને મળ્યા. સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું 15
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy