________________
તા. ૨૯-૬-૫૭ : મોરૈયા તા. ૩૦-૬-પ૭ : મટોડા
આદરોડા ચાતુમાંસ તા. ૧-૭-૫૭ : પથાભાઈ પઢેરિયા (રાજપુત)ને ત્યાં ઉતારો. ચાતુર્માસ સ્થળ.
ભંગીઓને ભૂદાનમાં મળેલ જમીનનો પ્રશ્ન તા. ૭મીએ. તા. ૮-૭-પ૭ : કોંગ્રેસના આગેવાનોની મુલાકાત પછી મહારાજશ્રીએ જણાવ્યું
કે, “આજની કોંગ્રેસ બહુ નજીક આવે તેમ લાગતું નથી. તેથી
મહારાષ્ટ્રમાં જઈ ત્યાં ગ્રામસંગઠનનો પ્રયત્ન કરવો જોઈએ. તા. ૧૩-૭-પ૭ : ખાંભડાના પીતામ્બર પટેલ મળવા આવ્યા. તેમણે કાઠીઓના
ત્રાસ અંગે મહારાજશ્રીને વિગતો આપી. ત્યાં બે કોમ વચ્ચે ઘર્ષણ ચાલતું જ રહ્યાં. * ગુજરાત કોંગ્રેસે ભા.ન. ખેડૂત મંડળને અમાન્ય કરતું નિવેદન બહાર પાડ્યું. * કોંગ્રેસ પ્રમુખ શ્રી ઉ. ન. ઢેબર સાથે મુલાકાત. હૃદયસ્પર્શી મુલાકાત પણ કોંગ્રેસી
સંબંધોમાં આગળ ન વધી શકાયું. તા. ૪-૮-૫૭ : “જે લોકો પોતાની સાથે નથી તે સામે છે. આ અંગે વિસ્તારથી
સમજાવ્યું. કૉંગ્રેસ અંગે ઉગ્ર ચર્ચા. તા. ૭-૮-૫૭: ભાવનગરથી આત્મારામ ભટ્ટ મુલાકાતે આવ્યા. પોતે ધારાસભામાં
ઉમેદવારી કરવાના તે અંગે સલાહ લેવા. તા. ૧૦-૮-પ૭ : પોતાના જન્મદિને ચિતનીય પ્રવચન કર્યું. સમયને વ્યર્થ વહી ન
જવા દેતાં તેનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. તા. ૨૮-૮-પ૭ : સંવત્સરી દિન – ઉપવાસ, અને પોતાના સાથીઓની પણ ક્ષમા
યાચના. સત્યપાલનમાં સૂક્ષ્મતા અને જાગરૂકતા - મનનીય
પ્રવચન. તા. ૩૦-૮-પ૭ : મઢીથી આવેલ સત્સંગીને બ્રહ્મચર્યની દીક્ષા આપી. તા. ૩૧-૮-૫૭: મીરાંબહેનને – લાંબા પત્રો શા માટે લખો છો? ટૂંકા લખોને..
આ અંગે મનનીય પ્રવચન આપી સમજાવ્યું. તા. ૨-૯-પ૭ : સરલાદેવી સારાભાઈ સાથે મુલાકાત.. વાણીમાં વિવેક વાપરવા
મીરાંબહેનના ઘડતરનો પ્રસંગ. તા. ૧૦-૯-૫૭ : સાધ્ય, સાધન અને સાધક ઉપર પ્રવચન. તા. ૧૦-૯-૫૭: અખિલ ભારત કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રીમન્નારાયણ અગ્રવાલની
મુલાકાત. પ્રથમ મહારાજશ્રીને મળ્યા. સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
15