SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જેવાને કાઢી નાખે છે. પંડિતજી કહે છે પરિવર્તનશીલતા નહિ હોય તો સાતત્યની રક્ષા નહીં કરી શકાય. વ્યક્તિ અને સંસ્થા અને શાંતિમય વાતાવરણ ગમે છે. લોકોને આગળ લાવીને સાતત્ય રક્ષા થઈ શકે. ત્યારે એ લોકો ક્યાં છે ? ગામડાંના શ્રમજીવી લોકો નૈતિક રીતે ઘડાયેલા લોકો કૉંગ્રેસ આજે ટકી છે તેનું કારણ તે પરિવર્તનશીલ છે. એની સાતત્ય ગઈ પણ એક જિલ્લામાં ધારાસભામાં જવું કે નહિ તેનો પણ તેને ગંભીર વિચાર કર્યો હતો. તમે જાણો છો કે સ્વરાજય પછીની સ્થિતિ તદ્દન પલટાઈ ગઈ છે. પરદેશી શાસન સામે લડવાનું હતું. તેમાં તેણે સિદ્ધિ મેળવી પણ આજે ભારત એટલું પ્રગતિ કરી શકશે ખરું ? પરદેશમાં કંઈક થાય છે અને તેની અસર આપણને થાય છે. સુએઝની નહેરનો પ્રશ્ન આવ્યો. ભારતે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. બ્રિટન લોકશાહી દેશ છે. તેણે અન્યાયી રીતે સુએઝ નહેરમાં દખલ કરી. આ છતાં તેના પ્રતિનિધિઓ સરકાર ના બદલી. એક વ્યક્તિને બદલી ફ્રાન્સમાં ડગલે ને પગલે સરકાર બદલાય છે. જો કોઈ પણ દેશમાં સ્થિર સરકાર ન હોય તો તે પ્રગતિ કરી શકશે નહિ. કૉંગ્રેસનો ઇતિહાસ તપાસો. તેણે કોઈપણ કોમના સભ્ય માટે પોતાનાં દ્વાર ખુલ્લાં રાખ્યાં છે. ટોનીમેન આવે કે થિયોસોફીકલ આવે બધાંય તેનો સિદ્ધાંત સ્વીકારે. તે તેનો સભ્ય બની શકે છે. ઘણાંને થાય છે કે પંડિતજી વિદેશ નીતિ ઉપર આટલું બધું કેમ જોર આપે છે. આપણા દેશમાં તો ધબડકા છે પણ પંડિતજીના કાર્યને લાંબી દૃષ્ટિએ વિચારવું જોઈએ. યુવાનોએ આ બધો અભ્યાસ કરવો જોઈએ. કાશ્મીર અને ગોવામાં જો કોઈ કામ કરી રહ્યું હોય તો તે પરદેશ નીતિનું કારણ છે. સાતત્ય રક્ષાની સાથે પરિવર્તનશીલતા પણ શીખો. માત્ર મતદાન એ આપણું લક્ષ્ય નથી. રાજય ઉપર કોંગ્રેસ ટકે તેની ખૂબ જરૂર છે. શાંતિ-વિચાર વધારવાની વાત કૉંગ્રેસ સરકાર જ કરી શકે છે. કોઈ દેશનો વડો પ્રધાન પ્રજાના જોરે શાંતિ વિચારની વાત કરતો હોય તો મને બતાવો. સ્વરાજ્ય આવ્યાં પછી પરિસ્થિતિ બદલાઈ છે. આર્થિક, સામાજિક ક્રાંતિનો તબક્કો દેશમાં શરૂ થયો છે. પરદેશમાં રાજકીય ક્રાંતિનો તબક્કો શરૂ થયો છે. આપણે બાપુજીને ખોયા. આ દેશમાં સામ્યવાદનું શું સ્થાન હતું ? પણ લોકશાહી સ્વીકારી એટલે જોખમ પણ વેઠવું પડે. એટલે જો ૧૩૬ સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy