SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બચશે. સરકાર કાયદો કરે અને ઘરડી ગાયો ફરતી રહે તો નુક્સાન કોનું થવાનું છે. આવી ગાયોનું ધ્યાન કોણ દે? પણ પ્રથમ એવી ગાયોને પાળવાની તૈયારી કરવી જોઈએ પછી જ કાયદો કરવો જોઈએ. કેટલાક લોકો ગોપાલકો દ્વારા ખૂન સુધ્ધાં કરાવે છે. તેમણે કોઈના હાથા બનતાં બચવું જોઈએ. તેમનામાં શક્તિ છે પણ અજ્ઞાનતા ય છે. ખેડા જિલ્લામાં ભેંસ જેવું વિચિત્ર પ્રાણી ઘણું આદર પામ્યું છે. ગાય તો ક્યાંય દેખાતી નથી. એને પૂજવી ખરી, ગાય પાળવી નહિ. એનાં દૂધ, ઘી ખાવાં નહિ અને નિરાંતે કતલખાને જવા દેવી આ સ્થિતિ છે. ગાયોના દીકરા બળદ વગર ખેતી થવાની નથી પણ એ લાવવી, ખાતરી ગોપાલકોએ પણ ઠરાવવી પડશે. ઠરાવમાં બે કલમો વિશે વિરોધની વાત આવી. મેં કહ્યું, “જયાં સુધી ભરવાડોની સ્થિતિ સુધરી નથી ત્યાં સુધી એ કલમની જરૂર રહેવાની. સમાજમાં દાદાઓ છે. તેઓ ભરવાડનો ઉપયોગ કરે છે. ભરવાડો પણ કેટલાક તોફાનો કરે છે. તેઓ સુધરે નહિ અને કોઈને સુધારે નહિ ત્યાં સુધી કલમો બદલવા કેવી રીતે કહી શકીએ ? હું કબૂલ કરું છું કે કેટલાક કિસ્સામાં ખોટી રીતે ગોપાલકોને હેરાન કરતા હશે પણ એવા કોઈ પ્રશ્નો હવે તો આપણે વિચારીશું. ત્યારબાદ વસાહત અધિકારી ભાઈ પટેલે સરકારી યોજના, તેના ફાયદા અને થયેલા કામોનો ખ્યાલ આપ્યો હતો. સહકારી મંડળીની પંદર હજાર એકર જમીન છે પણ ખેડાણ અઢી હજાર છે. ગોપાલકો પડતર રાખવાની દૃષ્ટિવાળા છે. ખેડાણ કરવી જોઈએ. જોર મંડળીઓનું છે. ૧૦-૧૨ રજિસ્ટર કરવા મોકલો. ૧૪ લાખ ખર્ચાયા છે. ૨૫ લાખની જોડીવાળા છે પણ જમીનો મળતી નથી એટલે કામ ઓછું થાય છે. સુરાભાઈએ ભાલ નળકાંઠામાં ગોપાલક મંડળ તરફથી ચાલતી સહકારી મંડળીઓનો ખ્યાલ આપ્યો અને ખેડૂત મંડળના સહકારથી ૧૨ હજાર એકર જમીન મેળવી. તેવી રીતે આ વિભાગમાં પણ ગ્રામ સંગઠન પાસેથી તે મેળવી શકાય તેવી પ્રમુખશ્રીને વિનંતી કરું છું. ત્યારબાદ માનસિંહભાઈ દેસાઈએ જણાવ્યું કે રબારી ભાઈઓમાં મરણ પછી ૮૦ મણ ઘઉંના બાકરા આપવાનો રિવાજ હતો. એ રિવાજ ૧૯૩૭માં બંધ કરવામાં આવ્યો. ગોપાલક પ્રવૃત્તિ ૧૯૨૬થી નડિયાદથી શરૂ થઈ. ૪૦-૪૧થી પૂ. સંતબાલજી મહારાજ આ પ્રવૃત્તિમાં રસ લેતા સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું ૧ ૨૧
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy