________________
તા. ૮-૩-૫૭ઃ ભલગામડા ઃ અગાઉ ૨૯ દિવસ એકધારા આ સ્થળે રહેવું પડ્યું હતું.
તબિયત ઠીક ન હોવાને કારણે ફરી આરામની દષ્ટિએ અહીં આવ્યા. તા. ૨૧-૩-પ૭ : નાનચંદ્રજી મહારાજ ગુંદી રોકાયા હતા. પોતાના વિસ્તારમાં
અને કેન્દ્રમાં પોતાના ગુરુદેવ પધાર્યા પણ તબિયતને કારણે તેઓ
વિહાર કરી શક્યા નહોતા. તા. ૨૬-૩-પ૭ : પારડ તા. ૨૭-૩-પ૭ : રાયસંગ ગઢ. તા. ૨૮-૩-પ૭ : ઉંમરગઢ : સહકારી જિનનો પ્રશ્ન તા. ૩૧-૩-પ૭ : ગણોતધારા શુદ્ધિપ્રયોગની પૂર્ણાહુતિ સંમેલનમાં પ્રવચન. તા. ૧૦-૪-પ૭ : ખસ : ગોરાસુનો પ્રશ્ન તા. ૧૧-૪-પ૭ : ધોળી : કોળી પટેલનો પ્રશ્ન તા. ૧૨-૪-પ૭ : આણંદપુર તા. ૧૩-૪-પ૭ : મીઠાપુર : કોળી અને ભરવાડો વચ્ચેના ઝઘડાનો નિકાલ કરવા
પ્રયત્ન. તા. ૧૪-૪-૫૭ થી ૨૦-૪-પ૭ : શિયાળ : આ ગામ મુનિશ્રીની પ્રવૃત્તિનું મુખ્ય
કેન્દ્ર છે. કાશીબહેન અને છોટુભાઈ અહીં રહે છે. તા. ૧૮-૪-પ૭ : પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડીઓ મહારાજશ્રીને અહીં મળવા
આવ્યા. ગણોતધારાની ચર્ચા તા. ૨૧-૪-પ૭ : ભામસરા : ભરવાડ કોળીનો ઝઘડો. બે ભરવાડનાં ખૂન થયેલ. તા. ૨૪ થી ૨૬-૪-પ૭ : આદરોડા : ભંગીનો પ્રશ્ન ઉકેલ્યો. તા. ૨૭-૪-૫૭: દેહગામડા (સંઘનું પેટાકેન્દ્ર) તા. ૨૮-૪-પ૭ : નાનોદરા : અહીંના ભંગી ભાઈઓએ પોતાનાં ખેતર ગિરો
મૂકેલ. તે પ્રશ્ન સાણંદનાં મણિબહેને લીધેલ તેની ચર્ચા તા. ૨૯, ૩૦-૪-પ૭ : ઝાંપ તા. ૧-૫-પ૭ : ઉપરદળ તા. ૨, ૩-૫-પ૭ : રેથળ તા. ૪-૫-૫૭ : કુંડળ : પાલનપુરના ખેડૂત અગ્રણી મળવા આવ્યા. તા. ૬-૫-પ૭ : માણકોલ: નળકાંઠામાં પ્રથમ પ્રવેશ – પ્રથમ ચાતુર્માસ આ ગામે કરેલું. તા. ૭-પ-પ૭ : મખિયાવ : વાઘરીઓનો પ્રશ્ન તા. ૮-પ-પ૭ : વીંછિયા તા. ૯-પ-પ૭ : ગોરજ : જૈન મંદિર છે, પણ જૈનોનું એક પણ ઘર નથી.
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
15