________________
જઈશું તે પણ નહિ ચાલે, કેવળ રાજકારણને છોડીશું તોપણ નહિ ચાલે. આપણી વિચારસરણી પ્રમાણે ચાલીએ છીએ. મહારાષ્ટ્રમાં જવાનું કારણ તો એ છે કે, ગુજરાતની કોંગ્રેસની સ્થિતિ અને મહારાષ્ટ્ર કૉગ્રેસની સ્થિતિ કેવી છે. તે અને કદાચ મહારાષ્ટ્રની અસર ગુજરાત ઉપર પડે, તે પણ નજરમાં છે. તમો બધાંને મહારાષ્ટ્રમાં જવાની વાત ગળે ઊતરતી નથી. તેમ ગુજરાતમાં પણ નથી. મને પોતાને લાગ્યું છે કે મહારાષ્ટ્રમાં જવાથી આપણને તો લાભ થશે જ.
આજે પ્રાયોગિક સંઘના સામાન્ય સભ્યોની મિટિંગ હતી. ભાઈ-બહેનો આવ્યાં હતાં. સંઘમાં મુખ્ય ચર્ચા સામાજિક, આર્થિક બાબતોમાં (સંઘની સંસ્થાઓમાં) સ્વતંત્રતા હોવી જોઈએ, તે અંગે હતી. આ બાબત હોવા છતાં સંઘના સભ્યો ડૉ. શાંતિભાઈ અને મણિબહેન પટેલ ગ્રામસંગઠનથી વિરુદ્ધ જઈને સ્વતંત્ર રીતે કોંગ્રેસના સંગઠનના આદેશને માન આપી સહકારી બેંકની ચૂંટણીમાં ભાગ ભજવ્યો. આ અંગે તેમની પાસે શિસ્તભંગના પગલાં અંગે ચર્ચાઓ થઈ.
- રાષ્ટ્રો મહારાજશ્રીએ મણિબહેનને તેમના બૅન્ક ચૂંટણીમાંના વર્તન અંગે ખૂબ સમજાવ્યાં. મહારાજશ્રીના મનમાં એવી ઈચ્છા હતી કે બહેન વ્યક્તિની નિષ્ઠાથી ક્યાં સુધી ટકશે. પછી એકલાં પડી જશે એટલે જો સંઘની શિસ્ત સ્વીકારે - થયેલી ભૂલને સ્વીકારી લે તો સારું. તા. ૧૩-૧૧-૫૭ :
આજે સઘન યોજના અને સવોદય યોજનાની સંયુક્ત મિટિંગ હતી. કારોબારીના સભ્યો અને બીજા ખેડૂતો પણ આવ્યા હતા. કાર્યકરો પણ હતા. સભા વખતે ગોહિલવાડ લેઉવા જ્ઞાતિ મંડળના આગેવાનો તેમજ પ્રમુખશ્રી જીવાભાઈ પરમાભાઈ એમ ૭ જણ આવ્યા હતા. સભામાં પ્રથમ સર્વોદય મેળાનું બજેટ અને પ્રોસીડીંગ વાંચી બતાવ્યા બાદ નવું શું કરવું જોઈએ અને ગત વર્ષે શું કર્યું છે તેનો નવલભાઈએ ખ્યાલ આપ્યો હતો. તા. ૧૪-૧૧-૫૭ :
આજે ખેડૂત મંડળની કારોબારીની મિટિંગ મળી હતી. તે પહેલાં પં. નહેરુચાચા દિનની ઉજવણી હતી. તેથી શાળાનાં નાનાં બાળકો સરઘસ આકારે મહારાજશ્રી પાસે આવ્યાં હતાં. અને સભાના રૂપમાં ગોઠવાઈ ગયાં હતા.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૦૬