SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાની મર્યાદામાં રહીને યોગ્ય સલાહ આપી અને પોતાને એ નિમિત્તે આજે ત્રીજો ઉપવાસ હતો. તા. ૨૩-૯-પ૭ : મહારાજશ્રીને આજે ચોથો ઉપવાસ છે. હવે અશક્તિ વતવા લાગી છે. આજથી સવાર-સાંજનાં પ્રવચન બંધ કર્યા. ભરવાડ આંબે ઠીક લાગે તો સાક્ષી પૂરે, ફરજ નથી પાડતા એમ ખુલાસો થયો છે. દશેરાના રોજ ગોપાલક ખેડૂતોનું એક મોટું સંમેલન ભરવું એમ પણ વિચાર્યું. સંમેલનમાં ગુંડા તત્ત્વોને વખોડી કાઢવા, લોકો અહિંસક પ્રતિકાર કરતા થાય તે માટે સરકાર કાર્યક્ષમ બને એવા ઠરાવો કરવા, જેથી જાગૃતિ આવે. આ પછી મહારાજશ્રીને સંતોષ થયો. એટલે પારણાંની વિધિ થઈ. પ્રથમ મીરાંબહેને “હરિને ભજતાં'વાળું ભજન ગાયું પતિતપાવનની ધૂન બોલાવી પછી ધોળકાના આગેવાનોને હાથે લીંબુનું શરબતવાળું પાણી આંબાભાઈને હાથે ને પછી સ્થાનિક બધાંને હાથે શરબત લઈ પારણું કર્યું. બધાંને આનંદ થયો. આ પછી સૌ રવાના થયા. નાનચંદભાઈને આ બધા ખબર મોકલ્યા. તા. ૨૬-૯-પ૭ : આજે શિયાળ દવાખાનાના કમ્પાઉન્ડરનાં પત્ની તારાબહેનના અવસાન નિમિત્તે મહારાજશ્રીએ ત્રણ ઉપવાસ કરવાનું વિચાર્યું. મીરાંબહેને એક ટાણું મેં, રાત્રે ભોજન લીધું હતું. આ અકસ્માતના સમાચાર હજી અમને શિયાળથી મળ્યા નહોતા એટલે મહારાજશ્રીને લાગ્યું કે બીજે બને તો આપણે ચિંતા કરીએ છીએ. તેના માટે તપાસ કરીએ છીએ તો આપણે ત્યાં આવો પ્રસંગ બને તો તેની તટસ્થ તપાસ થવી જોઈએ. એટલે ખેડૂત મંડળના પ્રમુખ શ્રી વીરાભાઈને કોચરિયાથી બોલાવ્યા. તેમને બધી વાતો કરી શિયાળ મોકલ્યા. તેઓ આવીને બધો હેવાલ કહેશે. તા. ૨૩-૯-પ૭ : વીરાભાઈ બપોરના ચાર વાગે શિયાળથી તારાબહેનના મૃત્યુનો હેવાલ લઈને આવ્યા. તેમણે કહ્યું, તારાબહેનને સોમવતી અમાસનો આગલે દિવસે ઉપવાસ હતો. સવારમાં બધાંએ સાથે દૂધ પીધું, ભાખરી પડી હતી, તેમાંથી તારાબહેન માટે વધારે રાખી કારણ કે ઉપવાસ હતો. તેઓ સાથે ખાવા ન સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું ૯૯
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy