SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ એ મેળવવાં અનેક જવાબો લેવા પડે. કે મરતી વખતે માણસના મનમાં કેટલીક ઘટના રહી જાય છે. મરતી વખતે જીવ જતો નથી. ત્યારે નજીકના કહે છે જે કહેવું હોય તે કહો અમો કરીશું. પણ સમય ગયા પછી શું ? ૧૯૪૭ના ૧૫ ઑગસ્ટે જે સમય છે તે જો જાય છે તો સ્વરાજયને માટે મારો કોયડો ઊભો થાય છે. જો એ સમયને સ્વીકારી લઈએ છીએ તો ભોગવવાનું પરિણામ ભોગવવું પડે છે. સામાન્ય સમજ પરિણામલક્ષી છે. એટલે પરિણામ તો બનાવવું જ પડે. એટલે કામ હોય ત્યારે જે કામ હોય તે કર્યો જ જવું અવસર કદી નહીં આવે. આમ આપણું આયુષ્ય ઘટતું જાય છે. આનંદધન કહે છે કે ઘડીયાળી તું શા માટે ઘડિયાળાં વગાડે છે. તું એમ માને છે કે, ઘડિયાળાંથી લોકો ચેતી જતા હશે ? પણ એમ નથી. એ લોકોને માથે પાઘડી હોય છે. એ સાથે જ બાંધી રાખે છે. છતાં એને યાદ કરતો નથી, તો તારા ઘડિયાળાની કોણ પૂછશે ? ઉંમર વધથી જાય છે. વિસ્મરણ વધતું જાય છે. શરીર દ્વારા વર્ણન થાય છે. શરીર લાલબત્તી ધરે છે. તે કહે છે : વરસો ઘટતાં જાય છે. હવે જાગો. ? ચેતો? જાગ્રત અને કલ્યાણકારી શું છે? તેને ઓળખીએ એ પ્રકારનું વર્તન બતાવે છે. જનક મહારાજાએ એવા પ્રકારનો પ્રસંગ યોજયો હતો. પ્રશ્ન એ નહોતો કે તમે આટલા બધા અનાસક્ત કેવી રીતે રહી શકો છો ? તેમણે કહ્યું આ ચર્ચાનો વિષય નથી. તેથી પ્રસંગ પડતાં પ્રત્યક્ષ બતાવે છે. મહારાજાએ મંત્રીને ભોજન માટે નોતરે છે. ચારેક વાગે ભોજનનો સમય હતો. પણ એ દરમ્યાન બરાબર બે વાગે એક ઢંઢોરો પિટાય છે. બરાબર પાંચ વાગ્યે પ્રધાનને ફાંસી આપવામાં આવશે. પેલો પ્રધાન આશ્ચર્યચકિત થઈ જાય છે. અરે, ચાર વાગે તો મારે ભોજન માટે જવાનું છે. આખું ગામ પણ દિગમૂઢ થઈ જાય છે. પ્રધાનને માણસ બોલાવવા આવે છે. જનક રાજા સાથે તે ભોજન કરે છે. પણ તેનું મન ભોજનમાંથી ઊડી જાય છે. તેણે શું ખાવું. તેની પણ ખબર ના રહી. હાથ અને મોં એ તેનું કામ કર્યું. મને જુદું કામ કર્યું. ત્યાં ઢંઢેરો પીટાય છે, ફાંસી માફ કરવામાં આવે છે. બીજે દિવસે રાજાએ મંત્રીને પૂછ્યું, કાલે શું ખાધું હતું ? મને કંઈ ખબર નથી. આંખો સામે ફાંસી જ હતી. મહારાજાએ કહ્યું, જમણ ચાર વાગે હતું, ફાંસી પાંચ વાગે હતી. એ તમે જાણતા હતા. છતાં આટલી ચિંતા થઈ તો પછી મને તો મરણના ક્ષણની ખબર થતી. કેટલી બીક લાગે? જો માણસ માને કે કાળની નોબત અચળ રહી છે. કોઈ આજે સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું ૮૫
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy