SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મકાનો કબજે લેવા, ભાડાચિઠ્ઠીઓ પડાવે છે. આ ખોટી રીત છે. હજુ ઘણાય ખેડૂતો અડધો અને પાંચમો ભાગ આપે છે. વાઘરી અને કોળીની વસ્તી વધારે છે. એટલે દરબારો ઉધાડી દાદાગીરી કરતા નથી. હમણા વાઘરીઓ જમીન માટે ઠેઠ હાઈકોર્ટ સુધી લડ્યા અને દરબારો પાસેથી કબજો મેળવ્યો. અહીંના મુખ્ય આગેવાન રવજીભાઈ ભીમજીભાઈ પટેલ છે. ચુંવાળિયા કોળીમાં પગી, હમીરભાઈ મઘાભાઈ છે. તા. ૨૯-૫-૧૯૫૬ ઃ રાયક અડવાળથી રાયકા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું. અહીં બંને હરિભાઈ, અંબુભાઈ અને કોટનસેલની કારોબારીના મુખ્ય ભાઈઓ બાબુભાઈ મોદી, છોટાલાલભાઈ, માઉભાઈ, કેશુભાઈ વગેરે આવ્યા હતા. જિનમાં એકબે ભાઈએ ચોરી કરેલી તે બાબત વિચારણા થઈ. ચોરી કરનારની કક્ષા અને ભૂમિકા જોતા કાગળ ઉપર નહિ લેતાં, કારોબારી સમક્ષ જાહેર કરવી અને યોગ્ય કરવું એમ ઠરાવ્યું. એક બહેનના અકસ્માત અંગે કુરેશીભાઈ સામે આક્ષેપ થયો હતો. તે બાબતની ચોખવટ કરવા ચારુમતીબહેન, સરસ્વતીબહેન અને કુરેશીભાઈ આવી ગયાં. અહીંથી ધંધુકા તાલુકાનો પ્રવાસ પૂરો થયો. તા. ૩૦, ૩૧-૫-૧૫૬ : ધોળી રાયકાથી નીકળી ધોળી આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો કેશુભાઈ કાળુભાઈને ત્યાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું. પ્રાસંગિક કહેતી વખતે અમે ઉપર બેઠા હતા. બાળકો પણ ઉપર હતા. એ વખતે હરિજન બાળકો નીચે બેઠા હતા. મીરાંબહેને ધ્યાન ખેંચ્યું અને કહ્યું કે કાં તો આ બાળકોને ઉપર બેસાડો કાં તો મહારાજશ્રી નીચે આવી પ્રવચન કરે. મહારાજશ્રી ઊતર્યા, પણ ત્યાં તો કેશુભાઈએ હરિજનોને ઉપર બોલાવી લીધા અને કામ પતી ગયું. રાત્રે ઉતારામાં જાહેરસભા રાખી હતી. મહારાજશ્રીએ કહ્યું કે અહીંનું પાણી-દુ:ખ તો નજરે જુએ તેને જ ખબર પડે. સેંકડો વીરડા તળાવમાં ખોદ્યા છે અને તેની ચોકી કરવા ઠેરઠેર ખાટલા સાધુતાની પગદંડી ૨૪)
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy