________________
તા. ૧૩-૩-૧૯૫૬ : ભાણગઢ : દરિયાકાંઠાના લોકોનું જીવંત દર્શન. તા. ૧૪/૧૫-૩-૧૯૫૬ : મિંગલપુર : આખું ગામ ગણોતધારાના પ્રશ્ને જમીન ત્યાગવા તૈયાર - મારવાડના બે મુનિઓ નેમિચંદ્ર તથા ડુંગરશી મહારાજની પ્રથમ મુલાકાત - પાછળથી આ પ્રયોગના ટેકેદાર બન્યા.
તા. ૧૪-૩-૧૯૫૬ : શુદ્ધિપ્રયોગ સહાયક સમિતિની બેઠક - શુદ્ધિપ્રયોગ કરવાનો નિર્ણય.
તા. ૧૬-૩-૧૯૫૬ : હેબતપુર
તા. ૧૭/૧૮-૩-૧૯૫૬ : સાંઢીડા : આ ગામમાંથી કેટલાક વિદ્યાર્થી ગૂંદી આશ્રમમાં તૈયાર થઈને શિક્ષકો બન્યા છે.
તા. ૧૯|૨૦-૩-૧૯૫૬ : ઓતારિયા : સ્વામી જ્ઞાનચંદ્રજી મહારાજ (સાણંદ)નું પૂર્વાશ્રમનું ગ્રામકેન્દ્ર.
તા. ૨૧-૩-૧૯૫૬ : સોઢી
તા. ૨૨/૨૩-૩-૧૯૫૬ : આકરુ : ખેડૂત કાર્યકરો સાથે મુલાકાત.
તા. ૨૪ થી ૨૭-૩-૧૯૫૬ : ભલગામડા : ભાલ નળકાંઠા પ્રા. સંઘની બેઠક - કોંગ્રેસ અને સંઘ વચ્ચેનો વિચારભેદ - મહારાજશ્રીના ઉપવાસ ચાલુ - પારણું - ગામે ભારે સ્વાગત કર્યું - ચાતુર્માસ માટે નિમંત્રણ.
તા. ૨૮-૩-૧૯૫૬ ઃ પોલારપુર - ગુલાબસિંહ અને ગરાસદારો સાથે ચર્ચા. તા. ૨૯-૩-૧૯૫૬ : પિપળીયા
તા. ૩૦ થી ૩-૩-૧૯૫૬ : નાવડા (જૂના) : ગણોતધારાની સમજૂતી, ગોકુળ
ગામનું ચિત્ર.
તા. ૧-૪-૧૯૫૬ : ખમીદાણા
તા. ૨/૩-૪-૧૯૫૬ : રામપરા તા. ૪/૫-૪-૧૯૫૬ : બરવાળા તા. ૬-૪-૧૯૫૬ : રોજીત
તા. ૭-૪-૧૯૫૬ : ચંદરવા
તા. ૮-૪-૧૯૫૬ : સુંદરિયાણા
તા. ૯ ૧૦-૪-૧૯૫૬ : જાળિલા લીંબડી સ્ટેટનો વાડાઓની જમીનનો પ્રશ્ન, તલાટીનો લાંચનો પ્રશ્ન, સમજૂતી, સમાધાન
તા. ૧૨-૪-૧૯૫૬ : ખાંભડા : શુદ્ધિપ્રયોગ કેન્દ્ર
૨૪