________________
તા. ૧૯/૨૦-૧૨-૧૯૫૪: જડેશ્વર તીર્થધામ – મહારાજશ્રીના સંસારી કુટુંબીજનો
તથા નૌતમલાલ ખંડેરિયા-દૂધીબહેન મળવા આવ્યાં. તા. ૨૧-૧૨-૧૯૫૪ : ધૂનડા તા. ૨૨-૧૨-૧૯૫૪: મોરબી શિક્ષકો અને ગ્રામજનોએ ખૂબ પ્રેમ દર્શાવ્યો.
જાહેર પ્રવચનો, સારા પ્રશ્નો પુછાયા. (મોરબી એ
મુનિશ્રીનું દીક્ષા સ્થળ છે.) તા. ૨૩-૧૨-૧૯૫૪ : બેલા અહીં ભૂમિવિતરણનો કાર્યક્રમ થયો. તા. ૨૪-૧૨-૧૯૫૪: જેતપુર તા. ૨૫-૧૨-૧૯૫૪: ખાખરેચી રવિશંકર મહારાજની છબીની અનાવરણવિધિ.
રતુભાઈ અદાણીની મુલાકાત. તા. ૨૮-૧૨-૧૯૫૪ થી તા. પ-પ-૧૯૫૫ સુધી : વેણાસરથી વલ્લભપુર - કચ્છ
યાત્રા નામની પુસ્તિકામાં છપાયેલ હોવાથી, અહીં આપી નથી.
સનઃ ૧૯૫૫ તા. ૬/૭-૫-૧૯૫૫ : વલ્લભપુર : કાર્યકર્તાઓનું સમેલન - કચ્છ જિલ્લા પ્રા.
સંઘની રચના અંગે વિચારણા. તા. ૮-૫-૧૯૫૫: ભીમાસર : વરસાદની ખેંચ - સમૂહપ્રાર્થના, હરિજનોને પ્રવેશ
નિષેધ, મહારાજશ્રીનો ભોજનત્યાગ, સાંજે
હરિજનવાસમાં ભજન - (મહત્ત્વની ઘટના) તા. ૯-૫-૧૯૫૫ : પલાંસવા તા. ૧૦-૫-૧૯૫૫: માખેલ: કચ્છના આગેવાનો સાથે રાપર તાલુકાની આનાવારી
અંગે ચર્ચા તા. ૧૧-૫-૧૯૫૫: આડેસર : કચ્છના આગેવાનો સાથે ચર્ચા તા. ૧૨-૫-૧૯પપ : લખપત : કચ્છનું છેલ્લું વિહારગામ તા. ૮-૫-૧૯૫૫ થી તા. ૮-૧૨-૧૯૫૫ સુધીની નોંધ વિશ્વવાત્સલ્યમાં પ્રગટ
થઈ છે અને પાલનપુર ચાતુર્માસવાળી નોંધપોથી મળતી ન હોવાથી અહીં આપી શકાઈ નથી. ઉ. ગુજરાતનો
પ્રવાસ. તા. ૧૫-૧૨-૧૯પપ : સિદ્ધપુર : અહીં તા. ૧૪, ૧૫, ૧૬ ત્રિદિવસીય ભા. ન.
પ્રદેશના ખેડૂતો તેમજ કાર્યકર્તાઓનો વર્ગ. ૯૦ સભ્યોએ ભાગ લીધો. (યાદગાર સંમેલન)
૨૦