________________
ચાલે. જો આપણામાં શ્રદ્ધા નહિ હોય તો દ્વિધામાં પડીશું. આ સાચું કે તે સાચું તે નહિ જાણી શકીએ. એકબાજુ અમદાવાદ જેવું મહાનગર છે બીજી બાજુ તમારો આશ્રમ છે.
હરિજનોની સ્થિતિ ભારે વિકટ છે, અસ્વચ્છતા છે, અજ્ઞાનતા છે, વહેમ છે, લાઘવગ્રંથિ છે. તેમાંથી તમારે માર્ગ કાઢવાનો છે. તમે અહીંથી જાઓ ત્યારે એ વાત ભૂલી જશો નહિ કે અમે આશ્રમમાં શિક્ષણ લીધું છે. આપણે સૌ એક નૌકાના પથિક છીએ.
પ્રાર્થનામંદિરમાં રાત્રી પ્રવચન આપણે માત્ર શરીર નથી. પણ કંઈક વિશેષ છીએ, તેને ચેતન કહેવામાં આવે છે. આજે સ્થિતિ એવી છે કે એ ચેતન તરફ સતત ધ્યાન રાખી શકતા નથી. ચેતનને ખીલવવા પ્રાર્થના એ તાલીમશાળા છે. તાલીમ ઘણી જાતની છે. કબીર સાહેબ કપડું વણતાં વણતાં ચેતનને પામવાની તાલીમ લેતા હતા. તેઓ કહેતા “સત્ નામ સાહેબકા, અસત્ય સત બહાર નથી, અંદર છે. ઈશ્વરનું ભજન કરીને પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવી છે કે રાગ અને દ્વેષ ચાલ્યાં જાય. બુદ્ધિની ડામાડોળ સ્થિતિ છે. તે સ્થિર થઈ જાય, આ બધું ચિંતન ત્યારે જ રહી શકે કે જયારે આપણે એને અનુસરીને કામ કરતા હોઈએ. આપણે બોલીએ, ખાઈએ છીએ, ગમે તે કામ કરીએ પણ નિશાન એ જ રહે. નટે એવી સ્થિતિ સ્થિર કરી છે કે ગમે તેમ હાલે તોપણ નજર ચૂકતો નથી.
બાપુની પુનિત યાદી સવારના કરી ગયા. આ આશ્રમની પાછળ એમણે કેટલી કેટલી સુંદર કલ્પનાઓ કરી હતી ! આ આશ્રમનું નામ પણ સત્યાગ્રહ” રાખ્યું. પોતે હંમેશાં સત્યના આગ્રહી રહ્યા અને ગયા ત્યારે પણ એ જ રીતે. આપણે એમના વિયોગના દુ:ખને સિદ્ધાંતો સામે રાખીને ભૂલવાનું છે. બાપુનું શરીર તો જવાનું છે જ પણ અમે એમનો સંદેશો યાદ રાખીશું. અને બહારના કોઈ માણસ આવે તો આશ્રમવાસીનું જીવન જોઈને બાપુની સ્મૃતિ તાજી કરતો જાય. આજે આપણાં દિલને પૂછળાનું છે કે આપણે સત્યાગ્રહી રહ્યાં છીએ ખરાં ? સામાજિક, આર્થિક ક્ષેત્રે અહિંસક રીતે કઈ રીતે કામ કરવું, આપણે જો એવો જ વિચાર કરીશું કે પરદેશી રાજય હતું ત્યારે સત્યાગ્રહ કરતા હતા. આજે આપણે સમાજની સામે સાધુતાની પગદંડી
૧૫૧