________________
તરફ એકધારી રીતે કૂચ કર્યો જવી. કેટલીક વાર માણસને થાય ખરું કે અમે ચાલીએ છીએ તે સાચો માર્ગ છે કે ખોટો ? એ વિચાર સારો છે. પણ એ તો આત્મનિરીક્ષણ કરીએ એટલે પરખાઈ જાય છે. તા. ૪, ૫-૧-૧૯૫૬ : ઇસંડ
ઝુલાસણથી નીકળી ઈસંડ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. વચ્ચે પાનસર ગામના લોકોના આગ્રહથી કલાક રોકાયા હતા. લોકોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું. અહીં જૈનમંદિર પ્રખ્યાત છે અને તે યાત્રાનું ધામ છે. તા. ૬, ૭-૧-૧૫૬ : ક્લોલ
ઈસંડથી નીકળી કલોલ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો પાંજરાપોળમાં રાખ્યો હતો. પાદરે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અને ગામ લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું. સરઘસ આકારે સૌ ટાવર આગળ આવ્યાં. ત્યાં જાહેરસભા થઈ. તેમાં મહારાજશ્રીએ વિદ્યાર્થીઓને શિક્ષકોને અને નાગરિકોને ઉપયોગી ઉદ્બોધન કર્યું.
બપોરના ૩ થી ૪ દરબારી ભાઈઓની મિટિંગ મળી. તેમણે જમીનની અને કાયદાની હેરાનગતિ થાય છે તેની વાત કરી. મહારાજશ્રીએ તેમને ચાલુ જમાના સાથે સંપથી રહેવા કહ્યું. ઢોર ઓછાં કરી, ઔલાદ સુધારવા કહ્યું. નિરાશ નહિ થતાં સમજણપૂર્વક સંગઠિત રીતે આગળ વધવા કહ્યું,
થી ૫ મજૂર પ્રતિનિધિઓનું મિલન યોજાયું હતું. પ્રથમ કાર્યકર્તા કેશવલાલભાઈએ કેટલોક ખ્યાલ આપ્યો હતો. મહારાજશ્રી આઠેક વર્ષ પહેલાં અહીં આવેલા. ત્યારે દારૂબંધી વિશે કહેલું. ત્યારથી મજૂરોએ ફરજિયાત બંધી કરી છે. જે દારૂ પીએ તેને પાંચ રૂપિયા દંડ અને દારૂ પીનારને બતાવે તેને બે રૂપિયા ઇનામ આપવાનું નક્કી કરેલું. એ રીતે ૧૫૦૦ રૂપિયા ભેગા થયા હતાં. તેમાંથી દારૂબંધી પ્રદર્શન યોજયું હતું.
મજૂરો માટેનો વસવાટ ઊભો કર્યો છે. ૧૫૪ ઘર છે. સંસ્કાર કેંદ્ર ચાલે છે. સીવણવર્ગ, સેવાદળ, પુસ્તકાલય વગેરે પ્રવૃત્તિઓ ચલાવે છે. મુનિશ્રી કલોલમાં આવે અને મજૂરોને લાભ ન મળે તે કેમ ચાલે ? કલોલમાં મજૂર મહાજન જેવી, જીવતી જાગતી સંસ્થા છે. દેશના હિતમાં આ મજૂરો ફાળો આપતા આવ્યા છે. મુનિશ્રીને વિનંતી કરુ કે અમે બહુ પ્રગતિ કરી શક્યા
જ 'ના-
દે છે!