SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ નૈતિકબળ વધારે હોવું જોઈએ. પ્રથમ બંને તરફથી તેનો તિરસ્કાર મળશે. પણ લાંબે ગાળે એનો ફાયદો પડશે. આ બધી વાતનો તમે ઝીણવટથી વિચાર કરજો. તા. ૨૧-૧૯૫૪ આજે અમૂલખભાઈ શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘના કામ અંગે વાતો કરવા આગળથી આવ્યા. સાંજે નરસિંહભાઈ આવ્યા હતા. માટલિયા અને મહારાજશ્રી સાથે પ્રાયોગિક સંઘ અંગે વાતો થઈ હતી. શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘ અંગેની કેટલીક વિગત નાની પુસ્તિકા રૂપે છપાવવા અંબુભાઈએ જુદી લખાવી છે. એટલે આ નોંધોમાં લખી નથી. જરૂર લાગે તો તે પુસ્તિકા જોઈ લેવી. તા. ૨૬-૭-૧૯૫૪ આજે ભાવનગરથી આત્મારામ ભટ્ટ મળવા આવ્યા હતા. તેમના મનમાં શબ્દરચના હરીફાઈ અને દારૂબંધી વિશે કંઈક કરવું જોઈએ. તેવા વિચારો આવતા હતા. દિલ્હી જઈને સક્રિય પગલાં લેવાં. ઉપવાસ ઉપર ઊતરવું જેથી તેઓ અનિષ્ટને દૂર કરે. મહારાજશ્રીએ તેમની વાતો સાંભળ્યા પછી તેમને સમજાવ્યું કે આપણે પ્રજાને મુખ્ય ગણવી છે, કે સરકારને ? સરકાર કોઈ એકાદ વ્યક્તિનું માનશે નહિ. વળી જ્યાં સુધી પ્રજાને ચાણક ન લાગે ત્યાં સુધી કાયદો નિષ્ફળ નીવડે છે. એટલે આપણે નીચેથી આંદોલન ઊભું કરવું. થોડો પણ પ્રજામત તૈયાર કરવો પછી પંચાયતો કોંગ્રેસ સમિતિઓ, ગુજરાત પ્રાંતિક સમિતિ લોકસભાના સભ્યો એમ કરતાં કરતાં ઠેઠ દિલ્હી સુધી પહોંચાડવું જોઈએ. અને શક્તિ પ્રજામાં ખર્ચવી. આ બધી વાત એમને સમજાય છે. વ્યક્તિ કરતાં સંસ્થાએ આવા પ્રશ્નો ઉઠાવવા જોઈએ. પ્રાયોગિક સંઘ પણ આ કામ કરી શકે. તા. ૨૮-૭-૧૯૫૪ પ્રાર્થના પછીના પ્રેરક પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે કપડું મેલું થયું હોય તો તેને ધોવું પડશે. વધારે ડાઘા પડ્યા હશે તો એવો ક્ષાર કે સાબુ જોઈએ. તેવી જ રીતે સમાજના આપણા મેલોને કાઢવા માટે મેલું પાણી નહિ ચાલે, તેને માટે ચોખ્ખું પાણી જોઈશે. સમાજ મેલ કાઢવા માટે સાધુતાની પગદંડી ૭૬
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy