SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પમ ૬ સ્વરસંઘંશદર્શક ચિ છઠ્ઠા વિભાગમાં આપેલાં ચિહ્નો “સ્વસંધ્યેશદર્શક ચિહ્યો છે. એ ચિહ્નો પૂર્વના સ્વર સાથે સંધ કરાએલા અથવા લુપ્ત થએલા સ્વરેને સૂચવવા માટે કરવામાં આવે છે. જેમકે— મિતે, સારીના, સાક્ષરાતિ, સાપુના, દૈવમ, નવીવાત્રકમળમૂતે ઇત્યાદિ. સંધિસ્વરેને દર્શાવવા માટે કરાતાં SI S S SS IS સ્વરચિતોને માથાં દોરવામાં નથી આવતાં, એટલે એ ચિહ્નસ્વરોને ચાલુ પાઠના વચમાં ભળી જવા જેવો ભ્રાંત પ્રસંગ નથી આવતું. સ્વરસંäશદર્શક ચિહ્નો કેટલીકવાર અક્ષરના ઉપરના ભાગમાં કરવામાં આવે છે અને કેટલીકવાર નીચેના ભાગમાં કરાય છે. આ ચિહો, જે સંબંશભૂત સ્વર અનુસ્વાર સહિત હોય તે અનુસ્વાર સહિત જ કરવામાં આવે છે. ૭ પાઠભેદદર્શિક ચિ સાતમા વિભાગમાં આપેલાં ચિહ્નો પાઠભંદદર્શક ચિહ્યો છે. આનો ઉપયોગ, એક પ્રતિને બીજી પ્રતિ સાથે સરખાવતાં તેમાં આવતા પાઠભેદને નેંધ્યા પછી કરવામાં આવે છે, જેથી એમ સ્પષ્ટ સમજી શકાય કે આ પાઠ બીજી પ્રત્યન્તરનો છે. કેટલીકવાર આ ચિહ્ન નથી પણ કરતું ૮ પાઠાનુસંધાનદર્શક ચિહું આભા વિભાગમાં આવેલાં ચિહ્નો પાઠાનુસંધાનદર્શક ચિહ્યો છે. હસ્તલિખિત પ્રતિમાં પડી ગએલા પાઠને પ્રતિના ઉપરના કે નીચેના માર્જિનમાં અગર બે બાજુના હાંસિયામાં લખ્યા પછી, તે પાઠનું અનુસંધાન કઈ ઓળીમાં–લીટીમાં છે એ સૂચવવા માટે, શો. અથવા વં કરી પંક્તિને નંબર લખવામાં આવે છે, જેથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ પાઠનું અનુસંધાન અમુક પંક્તિમાં છે. કેટલીક વાર શોક કે પં લખ્યા સિવાય પણ માત્ર પંક્તિને અંક લખવામાં આવે છે. જ્યાં જુદી જુદી પંક્તિઓમાં ઘણું પાઠો પડી ગયા હોઈ તે તે પાઠ આડાઅવળા કે ઉપરનીચે લખ્યા હોય ત્યાં પાઠાનુસંધાન માટે પંક્તિની ગણતરી ઉપરથી કરવી કે નીચેથી એ બાબતની ભ્રાંતિ કે ગરબડ થવાનો પ્રસંગ ન આવે એ માટે બહાર કાઢેલ પાઠ પછી લો. ૩૦ અને ધો. ની લખવામાં આવે છે અને તે પછી પંક્તિનો અંક આપવામાં આવે છે. - યદચ્છેદ દર્શક ચિ નવમા વિભાગમાં ‘પદચ્છેદર્શક ચિહ્ન' આપવામાં આવ્યું છે. આજકાલ આપણુ મુદ્રિત પુસ્તકોમાં પદચ્છેદ દર્શાવવા માટે શબ્દોને છૂટા પાડવામાં આવે છે, પરંતુ હસ્તલિખિત પુસ્તકોનું લખાણ સળંગ હઈ તેમાં પદચ્છેદ-પદવિભાગ દેખાડવા માટે શબ્દોને મથાળે આવું ' ચિહ્ન કરવામાં આવતું આવે છે. જેમકે–તેનઝારિત, સેનામિક, તેનાત્રામાખ્યા: ઇત્યાદિ. આ ચિહ્ન પદરચ્છેદ માટે જ છે, તેમ છતાં દરેક પુસ્તકમાં અને દરેક સ્થળે આ જાતને પદવિભાગ કરવાનું શક્ય ન હોઈ વિદ્વાન શોધકે આ ચિહ્નનો ઉપયોગ બ્રાન્તિજનક સ્થળે જ પદચ્છેદ કરવા માટે કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy