SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ પર જૈન જ્ઞાનભંડારા નષ્ટ-ભ્રષ્ટ, શાણું-વિશાણું તેમજ વેરણછેરણ થઇ ગયા પછી તેમજ દેશ-વિદેશમાં ચાલી ગયા પછી પણ આજે નાનામાં નાની જૈન પ્રજાના અસ્મિત્વ નીચે,—કેવળ એ પ્રજાને પેાતાને પરિશ્રમે તૈયાર થએલા,—જેટલા વિશાળ જ્ઞાનસંગ્રહ વર્તમાન છે એટલેા ભાગ્યે જ ખીજી કઇ પ્રજા પાસે હાવાનેા સંભવ છે, જૈન સંસ્કૃતિએ લેખનકળા સ્વીકારી ત્યારથી આજ પર્યંતનાં પંદરસો વર્ષના જૈન લેખકેાને આ ઇતિહાસ છે. આજે મુદ્રણુયુગના પ્રતાપે કળાધર જૈન લેખકાને ભયંકર દુકાળ પડયો છે. આપણે વધારે દૂર નહિ જઇએ, પણ ચાલુ વીસમી સદીના પૂર્વાર્ધમાં સારામાં સારા લેખકેાત્રણ ચાર પીએ એક હજાર શ્લોક લખતા હતા, એને બદલે આજે સાદામાં સાદા લેખક પણ પાંચ છ પીઆથી આછે ભાવે લખવા ના પાડે છે અને સારા લેખક હાય તેા એક હજાર લેાક લખવા માટે દસ, પંદર કે એથી પણ વધારે રૂપીઆ સુધી પહોંચી જાય છે. આમ છતાં પ્રાચીન લિપિથી પરિચિત એવા વિશ્વાસપાત્ર લેખક એ તે એક આશ્ચર્યરુપ વસ્તુ જ ગણવાની છે, ઘણાખરા લેખકો તે ‘મક્ષિકાસ્થાને મક્ષિકા’ ન્યાયે ગમે તેવું લખીને ધરી દે તેવા જ હાય છે. આજે અમારી સમક્ષ અમારા પરમપૂજ્ય દાદાગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ અને પૂજ્ય ગુરુવર્ય શ્રીચતુરવિજયજી મહારાજને માનીતા અને તેમની જ છાયા નીચે કેળવાએલા પાટણના વતની બ્રાહ્મણ જ્ઞાતાય અમારા લેખકરત્ન ગાવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદી છે; જે માત્ર લેખનકળામાં જ પ્રવીણ છે એટલું જ નહિ, પણ પ્રાચીન તાડપત્રીય, જીર્ણ-શીર્ણ પુસ્તકાની નષ્ટ-ભ્રષ્ટ અને ભૂંસાઇ ગએલી લિપિને ઉકેલવામાં ઉસ્તાદ હેવા ઉપરાંત વૈદક, જ્યાતિષ, મંત્ર-તંત્ર-યંત્ર આદિ વિષયાથી પણ એટલે પરિચિત છે કે ગમે તેવું વિષમ લખાણ હોય કે યંત્ર વગેરે લખવાં-બનાવવાં-ચીતરવાં હોય તો તેમાં પેાતાની સ્વતંત્ર પ્રતિભાના ઉપયાગ કરી શકે તેવા છે. આવા લેખકે આજે અતિ દુર્લભ છે. ઉપર અમે જૈન લેખકો જણાવી ગયા, તે સિવાય જૈન શ્રમણે, યતિઓ અને શ્રાવક૬૯. ૬૯ જૈન ઉપાસકા અને ઉપાસિકાએ જ્ઞાનભક્તિનિમિત્તે ઘણીવાર પુસ્તકો લખતાં હતાં. પાટણ સંઘવીના પાડાના ભંડારમાં સૂત્રતાં સૂત્ર, નિશીયસૂત્રસૂળી વગેરે પુસ્તકા આવકાએ લખેલાં છે. સૂત્રવ્રુતાં સૂત્રની પ્રતિ ‘લેખનકળાકુશળ’ કાયસ્થજ્ઞાતીય મંત્રી ભીમે લખેલી છે, તેની પ્રશસ્તિમાં આપ્રમાણેના ઉલ્લેખ છે— (5) 'श्री कायस्थ विशाल वंशगगनादित्योऽत्र जानाभिधः । संजातः सचिवाग्रणीर्गुरुयशाः श्रीस्तंभतीर्थे पुरे || तत्सूनुर्लिखन क्रियैककुशलो भीभाभिधो मंत्रिराट् । तेनायं लिखितो बुधावलिमनः प्रीतिप्रदः पुस्तकः ॥' (જી) ‘નિસીત્તુની સમન્ના || ક‰૩ || || ૪ | મારું મહાશ્રી: ॥ છે ! સંવત્ ૧૧૧૭ બલાદषष्ठायां शुकदिने श्रीजयसिंघदेवविजयराज्ये श्रीभृगुकच्छनिवासिना जिनचरणाराधनतत्परेण देवप्रसादेन निशीथचूर्णी पुस्तकं लिखितमिति ॥ જેસલમેરના તાડપત્રીય ભંડારમાં પાથી નં. ૨૨૩ કનૈરતવ-કર્મવિષાક ટીકા, પા. નં. ૨૯૭ કપચી, પા, નં. ૩૧૫ ગધરસાર્ધશતકત્તિ વગેરે પુરતા શ્રાવકોએ લખેલાં છે. આના અંતમાં નીચે પ્રમાણે લેખકની પુષ્પિકાએ છેઃ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy