SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ માટે પ્રથમ પ્રકાર સર્વોત્તમ, આદરણીય તેમજ સુખસાધ્ય પણ છે. એ પ્રકારમાં જણાવ્યા મુજબ શાહીમાં ભાંગરાનો રસ નાખવાથી એ શાહી “અક્ષરે અક્ષરે દીવા બળે જેવી ચમકીલી અને ઘેરી થાય છે એ વાત તદ્દન જ ખરી છે, પણ તે સાથે એ પણ એટલું જ ખરું છે કે ભાંગરાના પ્રતાપે કાગળો કાળા પડવા સાથે લાંબે ગાળે છર્ણ પણ થઈ જાય છે. અલબત્ત લાખ, કાથે કે હીરાકસીની જેમ એની તાત્કાલિક કે તીવ્ર અસર નથી થતી, તેમ છતાં અમારા અનુભવ અને ખ્યાલ છે ત્યાં સુધી ભાંગરાનો રસ પડેલી શાહી કાગળના પુસ્તકને ચારપાંચ સેકાથી વધારે જીવવા દેતી નથી; એટલે કાગળના પુસ્તક માટે શાહીના ચળકાટને મેહ મૂકી કાજળ, બીજાબાળ અને ગુંદર એ ત્રણના મિશ્રણથી બનેલી શાહી વાપરવી વધારે સલામતીભરી છે. - કાજળ અને બીજાબાળનું પ્રમાણ સરખું લેવું અને ગુંદરનું પ્રમાણ બનેયથી બમણું લેવું. સ્વચ્છ ગુંદર અને બીજાબાળને પાણીમાં ભીંજાવી, કપડાથી ગાળી, તાંબાની કઢાઈમાં ત્રણેને ભેગા કરી, એ ત્રણે બરાબર એકરસ થાય ત્યાં સુધી તાંબાની ખોળી ચડાવેલા લીંબડાના ઘંટા વડે ખૂબ ઘંટવાથી મલીકાળી શાહી તૈયાર થાય છે. આ પ્રમાણે તૈયાર થએલી શાહીને સુકાવીને રાખી મૂકવી. જ્યારે કામ પડે ત્યારે પાણીમાં ભીંજવી મસળવાથી લખવા માટેની શાહી તૈયાર થાય છે, - આ એક પ્રકાર સિવાય બાકીના પ્રકારે કાગળ-કપડાનાં પુસ્તક લખવા માટે ઉપયોગી નથી. અલબત્ત, એ પ્રકારેમાં જણાવ્યા પ્રમાણે બનાવેલી શાહી પક્કી જરૂર થાય છે, પરંતુ એ શાહી કાગળ-કપડાના પુસ્તકના જીવનને ટૂંકાવતી હાઈ કાગળ-કપડાનાં પુસ્તક લખ માટે ઉપયોગી નથી; પણ લાકડાની પાટી વગેરે ઉપર લખવા માટે એ શાહી અવશ્ય કામની છે. અમને લાગે છે તેમ એ બધા પ્રકારે તાડપત્રીય પુસ્તક લખવાની શાહીના પ્રકારેને આધારે ઉપજાવી કાઢવામાં આવ્યા હશે. કપડાના ટિપ્પણાની શાહી માટે નીચેને પ્રકાર આપ્યો છેઃ बोलस्य द्विगुणो गुन्दो, गुन्दस्य द्विगुणा मषी । मर्दयेद् यामयुग्मं तु, मषी वज्रसमा भवेत् ॥ १॥ કાળી શાહી માટે ખાસ સૂચનાઓ १ कज्जलमत्र तिलतैलतः संजातं ग्राह्यम् । २ गुन्दोऽत्र निम्बसत्कः खदिरसत्को बब्बूलसत्को वा प्राह्यः। धवसत्कस्तु सर्वथा त्याज्यः, मषीविनाशकारित्वात् । ३ मषीमध्ये महाराष्ट्रभाषया 'डैरली' इति प्रसिद्धस्य रिङ्गणीवृक्षस्य वनस्पतिविशेषस्य फलरसस्य प्रक्षेपे सति सतेजस्क-मक्षिकाभावादयो गुणा भवन्ति।' આમાં કહ્યું છે કે–૧ શાહી માટે કાજળ તલના તેલનું પાડેલું હોવું જોઈએ. ૨ શાહીમાં ગુંદર ખેર, લીંબડાનો કે બાવળનો જ નાખ; ધવને કે બીજી કોઈ જાતનો ગુંદર નાખવો નહિ. ૩ રીંગણું એટલે જેને મહારાષ્ટ્રી ભાષામાં “ૐરલીકહેવામાં આવે છે તેને ફળના રસને શાહીમાં નાખવાથી તે ચમકીલી બને છે અને તેની કડવાશને લીધે માખીઓ આવતી નથી. કાળી શાહીની બનાવટને અંગે ઉપરોક્ત હકીકત જાણ્યા પછી નીચેની બાબતે લક્ષમાં રાખવા જેવી છે. જે શાહીમાં લાખ (લાક્ષારસ), કાથો, લોઢાને કાટ કે ભૂકો પડે એ શાહી કપડા કાગળ ઉપર લખવા માટે ઉપયોગી નથી; કારણકે આ બધી વસ્તુઓ સારામાં સારા કપડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy