SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૨૮ વસતા બૌદ્દોએ પુસ્તકા લખવા માટે જેમ હાથીદાંતના–હાથીદાંતનાં પાનાંઓને માટા પ્રમાણમાં ઉપયાગ કર્યાં છે તેમ જૈનાએ પુસ્તકનાં સાધના,—જેવાં કે આંકણી, કાંખી, ગ્રંથિ-કૂદડી, દાબડા આદિ,માટે હાથીદાંતના ઉપયોગ છૂટથી કર્યાં છતાં પુસ્તકા લખવા માટે એના ઉપયોગ કદી કર્યાં નથી. આ સિવાય રેશમી કપડું, ચામડું૩૧ આદિના ઉપયાગ જૈન પુસ્તકા લખવા માટે કદી થયા નથી. અલબત્ત, એમ બન્યું છે ખરૂં કે પુસ્તકના ઉપર તેના રક્ષણ માટે રેશમી કપડાની કે ચામડાની પાટલીએ કે પટ્ટીએ મૂકી હોય તેના ઉપર તે પાથીમાંના ગ્રંથાનાં નામ, કર્તા વગેરેની નાંધ કરેલી હાય છે (જીએ ચિત્ર નં. ૩ માં આકૃતિ નં. ૨). પથ્થરના ઉપયાગ મુખ્યત્વે કરીને જૈન પ્રજાએ શિલાલેખે માટે જ કર્યો છે, તેમ છતાં કવચિત્ ગ્રંથલેખન૭ માટે પણ એને ઉપયાગ થએલા જોવામાં આવે છે. ‘એરીએન્ટલ ઇન્સ્ટીટ્યૂટ વડાદરા’માં ન. ૧૦૦૭૨માં વિ. સં. ૧૭૭૦માં લખેલ બ્રહ્મવૈવર્ત્ત પુરાણની પ્રતિ છે, જે અગુરુત્વક ઉપર લખાએલી છે. જૈન પ્રજાએ આવી કોઇ વક–છાલ-તા પુસ્તક લખવા માટે ઉપયાગ કર્યાં દેખાતા નથી. ટૂંકમાં અહીં એટલું જ કહેવું ખસ થશે કે જૈન પુસ્તકોના લેખન માટે તાડપત્ર, કપડું અને કાગળને જ ઉપયેાગ થયા છે; શાસ્ત્રીય વિષયેાના યંત્ર-ચિત્રપટા તેમજ મંત્રતંત્ર-યંત્રાદિના આલેખન માટે કપડું, લાકડાની પાટી, તામ્રપત્ર, રૌત્ર વગેરે વપરાએલાં છે; તિએના જમાનામાં યતિવર્ગ મંત્ર-યંત્રાદિ લખવા માટે ભૂર્જપત્ર-ભાજપત્ર કામે લીધાં છે; અને શિલાલેખો લખવા માટે તેમજ ક્વચિત્ ગ્રંથલેખન માટે પણ પથ્થર, તામ્રપત્ર આદિને ઉપયોગ કર્યો છે. આ સિવાય બીજા કોઇ સાધનના ઉપયાગ થયા જણાતા નથી. ૩૬ લેખનસામગ્રીની સુલભતા ન હોવાને લીધે યુરે પવાસીઓએ 'કેળવેલાં ચામડાંને લખવાના કામમાં લીધાં છે, પરંતુ ભારતીચ જનતાએ પેાતાને ત્યાં લેખનસામગ્રીની વિપુલતા હાવાને લીધે તેમજ ચામડાને અપવિત્ર' માનતી હોવાને લીધે પુસ્તકલેખન માટે એના ઉપયોગ કર્યાના સંભવ નથી. તેમ છતાં ભારતીય પ્રજા પુસ્તકાના સાધન તરીકે એના ઉપયોગ કરવાથી વંચિત નથી રહી શકી. ખાદ્ધ ગ્રંથામાં ચામડાને લેખનસામગ્રીમાં ગણાવ્યું છે. જૈન પ્રજા પુસ્તાના રક્ષણ માટે એટલે કે ચામડાના દાયડા, પાટીએ, પટ્ટીએ આદિ તરીકે પ્રાચીન કાળથી અને ઉપયાગ અહેંચેાક કરતી આવી છે (જીએ ચિત્ર નં. ૮ માં આ, નં ૧ અને ચિત્ર નં. ૩ માં આ નં, ૨). વૈદિકા પેાતાને ત્યાં મૃગચર્માદિના ઉપયેગ ખૂબ છૂટથી કરે જ છે. ૩૭ જૈન સંસ્કૃતિએ પાષાણ-પથ્થર-નો ઉપયોગ પુસ્તક લખવા માટે વિરલ જ કર્યાં છે. ખાસ કરી જૈન સંસ્કૃતિના મહદ્ધિક એકઅશભૂત દિર્ગખર સંસ્કૃતિએ એના પુસ્તકલેખન માટે ઉપયોગ કર્યાં છે. પ્રાગ્ધાટ (પેરવાડ) જ્ઞાતીય શ્રેષ્ઠી લેાલાકે (લેલિગે) મેવાડમાંના બીત્ઝેલ્યાંની નજીકના જૈન મંદિરની પાસે રહેલી પથ્થરની શિલાડી ઉપર રન્નતશિલપુરા નામના દિગંબર જૈન ગ્રંથને વિ. સં. ૧૨૨૬માં કાતરાળ્યા હતા, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે. શ્વેતાંબર જૈન પ્રજા તરફથી પથ્થર પર લખાએલ કાઇ પુતક મળતું નથી, પરંતુ આબુ, જેસલમેર, લાવા આદ અનેક રથળામાં કલ્યાણકપટ્ટક, તપપ૬કે, વિરાવલિપટ્ટક આદિ પટ્ટા પથ્થર પર લખાએલા મળે છે તેમજ લેાકનાલિકા, અઢીીપ, સમવસરણ, નંદીશ્વર આદિના ચિત્રપટ પણ આલેખાએલા મળે છે. (જુઓ બાબુજી શ્રીયુક્ત પૂર્ણચંદ્ર નહાર સંપાદિત જૈન જૈવસંઋષ કુંડ ૩). આ સિવાય વિગ્રહરાજકૃત હરકેલિ નાટક, સેામેશ્વરકવિવિરચિત લલિતવિગ્રહરાજ નાટક, રાજા ભાજવિરચિત સૂક્ષ્મશતક નામનાં બે પ્રાકૃત કાવ્યા,રાજકવિ મદનકૃત પારિજાતમંજરીવિજયશ્રીનાટિકા વગેરે અનેકાનેક જૈનેતર ગ્રંથા પથ્થર ઉપર લખાએલાકાતરાએલા જુદેર્જીદે ઠેકાણે મળે છે. (જીએ ભા. પ્રા. લિ. પૃ. ૧૫૦ .િ ૬.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy